PM ગુસ્સામાં છે અને તેમના ઈશારે કામ કરી રહ્યા છે LG, આમ આદમી પાર્ટીએ કર્યો પલટવાર
અરવિંદ કેજરીવાલ અને તેમના મંત્રીઓ પર બે ઓક્ટોબરના રોજ આયોજિત કાર્યક્રમ પ્રત્યે 'અસમ્માન' પ્રગટ કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે આના પર આમ આદમી પાર્ટીએ પલટવાર કર્યો છે.
નવી દિલ્લીઃ દિલ્લીના ઉપ રાજ્યપાલ વી.કે.સક્સેનાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના મંત્રીઓ પર બે ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદૂર શાસ્ત્રીની જયંતિ પર આયોજિત કાર્યક્રમ પ્રત્યે 'અસમ્માન' પ્રગટ કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે આના પર આમ આદમી પાર્ટીએ પલટવાર કર્યો છે. પાર્ટી તરફથી જાહેર કરેલ નિવેદનમાં જણાવવામાં આવ્યુ છે કે મુખ્યમંત્રી એટલા માટે કાર્યક્રમમાં સામેલ ન થઈ શક્યા કારણકે તે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. આ ઉપરાંત પાર્ટીએ ઉપરાજ્યપાલ પર પીએમ મોદીના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીએ કહ્યુ કે આ કામ ઉપરાજ્યપાલે પીએમ મોદીના ઈશારે કર્યુ.

બે ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદૂર શાસ્ત્રીની જયંતિ પર રાજઘાટ અને વિજય ઘાટ પર એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અન્ય મંત્રી ઉપસ્થિત નહોતા. આના પર ઉપરાજ્યપાલએ અનુપસ્થિતિને અસ્વીકાર્ય ગણાવી દીધી હતી. વળી, ઉપરાજ્યપાલે કેજરીવાલને આ અંગે એક પત્ર પણ લખ્યો હતો. પત્રમાં લખ્યુ હતુ કે કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ ધનખડ અને પીએમ મોદી સહિત ઘણા લોકો શામેલ થયા હતા પરંતુ બંને કાર્યક્રમમાં મુખ્યમંત્રી ન આવ્યા અને તેમના કોઈ પણ મંત્રી પણ ન આવ્યા.
વળી, ઉપરાજ્યપાલના આ આરોપ પર આમ આદમી પાર્ટીએ પલટવાર કર્યો છે. પાર્ટી તરફથી કહેવામાં આવ્યુ છે કે મહાત્મા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદૂર શાસ્ત્રીની જયંતિ પર છેલ્લા ઘણા વર્ષોમાં કેજરીવાલ હંમેશા શામેલ થયા છે. પરંતુ આ વખતે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા ગયા હતા. આ જ કારણ હતુ કે તે કાર્યક્રમમાં શામેલ થઈ શક્યા નહિ. સાથે જ આમ આદમી પાર્ટીએ ઉપરાજ્યપાલ પર પીએમ મોદીના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટી તરફથી કહેવામાં આવ્યુ છે કે બે દિવસ પહેલા પીએમ મોદીના અમદાવાદના કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી હતી. વળી, કેજરીવાલે ગુજરાતના એક આદિવાસી વિસ્તારમાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ જ કારણ છે કે પીએમ મોદી ગુસ્સામાં છે અને તેમના નિર્દેશ પર ઉપરાજ્યપાલે પત્ર લખ્યો.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
