પંજાબમાં ખાલિસ્તાન મૂવમેન્ટને કચડવા માટે AAP તૈયારઃ કેબિનેટ મંત્રી આતિશી
દિલ્લીમાં આમ આદમી પાર્ટીના કેબિનેટ મંત્રી આતિશીએ પંજાબ સરકાર દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીની પ્રશંસા કરી હતી અને સીએમ ભગવંત માનને અભિનંદન આપ્યા.

દિલ્લીમાં આમ આદમી પાર્ટીના કેબિનેટ મંત્રી આતિશીએ પંજાબ સરકાર દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીની પ્રશંસા કરી હતી અને સીએમ ભગવંત માનને અભિનંદન આપ્યા હતા અને કહ્યુ હતુ કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને બગાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ સરકારના કામકાજ અને કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા થઈ રહ્યા હતા.
હવે ભગવંત માન સરકારે રાજ્યમાં ખીલી રહેલી ખાલિસ્તાની ચળવળ સામે મોટી કાર્યવાહી શરૂ કરી છે અને તમામ આરોપીઓની ધરપકડ કરવાનું શરૂ કરી દીધું છે. આતિશીએ પોતાની પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ - પંજાબ સરકારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જે રીતે છેલ્લા બે દિવસથી કાર્યવાહી શરૂ કરી છે તેના માટે પંજાબ સરકાર અને પોલીસ અભિનંદનને પાત્ર છે. છેલ્લા બે દિવસની કાર્યવાહીથી, પંજાબના સીએમએ સ્પષ્ટ કર્યુ છે કે જો કોઈ રાજ્યમાં શાંતિ ભંગ કરશે અથવા કોઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડવાનો પ્રયાસ કરશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
એક સમય હતો જ્યારે અમે પંજાબમાં ચૂંટણી લડતા હતા ત્યારે ઘણા લોકો અમને સવાલ કરતા હતા કે દિલ્લીમાં AAP સરકાર ચલાવે છે, શું તે પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરી શકશે. શું તમે સરહદી રાજ્ય સંભાળી શકશો, પરંતુ આજે ભગવંત માને સવાલ પૂછનારાઓને ચૂપ કરી દીધા છે.
આતિશીએ પ્રેસ કૉન્ફરન્સમાં વધુમાં જણાવ્યુ હતુ કે પંજાબમાં અગાઉની સરકારોએ આવા અનેક લોકોને રક્ષણ આપ્યુ હતુ, જેના કારણે આજે પંજાબમાં આવી સ્થિતિ સર્જાઈ છે, પરંતુ અમારી સરકારે બતાવી દીધુ છે કે જો કોઈ શાંતિ ભંગ કરશે તો તેને સજા કરવામાં આવશે. કાર્યવાહી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
