AAP એ રાજ્યસભા માટે પંજાબમાંથી 4 નામોની જાહેરાત કરી, આ સ્ટાર ક્રિકેટર પણ સામેલ!
આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પંજાબ વિધાનસભા ચૂંટણી 2022માં AAPને 92 બેઠકો મળી છે.
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પંજાબ વિધાનસભા ચૂંટણી 2022માં AAPને 92 બેઠકો મળી છે. પંજાબ ક્વોટામાંથી હવે પાર્ટી પ્રખ્યાત ક્રિકેટર હરભજન સિંહ, રાઘવ ચઢ્ઢા અને ડૉ. સંદીપ પાઠકને રાજ્યસભામાં મોકલશે. AAP એ તેના ચોથા ઉમેદવાર તરીકે લવલી યુનિવર્સિટીના ચાન્સેલર અશોક કુમાર મિત્તલનું નામ ફાઈનલ કર્યું છે. સંજીવ અરોરા પંજાબમાંથી પાંચમા રાજ્યસભાના ઉમેદવાર હશે. અરોરા કૃષ્ણા પ્રાણ બ્રેસ્ટ કેન્સર કેર ચેરીટેબલના સ્થાપક છે.

પંજાબમાં બમ્પર જીત બાદ આમ આદમી પાર્ટીએ રાજ્યસભા માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. હરભજન સિંહનું નામ સમાચારોમાં હતું, પરંતુ અન્ય બે વિશે અટકળો ચાલી રહી હતી. સોમવારે પાર્ટી દ્વારા સસ્પેન્સનો અંત આવ્યો હતો, હરભજનને રાજ્યસભામાં મોકલવાની સાથે પાર્ટી રાજ્યની સ્પોર્ટ્સ યુનિવર્સિટીની જવાબદારી પણ આપી શકે છે. રાજ્યમાં રમતવીરોને આગળ લાવવા અને તેમની પ્રતિભાને સન્માનિત કરવા માટે હરભજન જવાબદાર રહેશે.
હાલમાં રાજ્યસભામાં AAPના ત્રણ સાંસદો છે. પંજાબમાં રાજ્યસભાની પાંચ બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. માનવામાં આવે છે કે AAP આ પાંચેય બેઠકો જીતી શકે છે અને આ રીતે એપ્રિલમાં ઉપલા ગૃહમાં AAPના સાંસદોની સંખ્યા વધીને 8 થઈ શકે છે. હાલમાં રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના ત્રણ સભ્યો છે અને તે તમામ દિલ્હીના છે. જેમાં રાજ્યસભાના સાંસદો સંજય સિંહ, સુશીલ ગુપ્તા અને એન. ડી. ગુપ્તા છે.
પંજાબની રાજ્યસભામાં પોતાનો કાર્યકાળ પૂરો કરનારા સભ્યોમાં કોંગ્રેસના પ્રતાપ સિંહ બાજવા અને શમશેર સિંહ દુલો, અકાલી દળના સુખ દેવ સિંહ ધીંડસા અને નરેશ ગુજરાલનો સમાવેશ થાય છે. આ સાથે ભાજપના એક સભ્ય પણ સામેલ છે. આ સાથે અન્ય બે સભ્યોનો કાર્યકાળ જુલાઈમાં પૂર્ણ થશે અને આ બંને બેઠકો પણ AAPના ખાતામાં જઈ શકે છે. પંજાબમાં રાજ્યસભાની બે બેઠકો માટે જુલાઈમાં ચૂંટણી યોજાવાની છે. આમ આદમી પાર્ટી આ બંને બેઠકો જીતી શકે છે. આ રીતે, આમ આદમી પાર્ટી જુલાઈના અંત સુધીમાં પંજાબમાંથી રાજ્યસભાની 7 બેઠકો જીતી શકે છે અને પછી રાજ્યસભામાં AAPના સભ્યોની સંખ્યા દસ થઈ શકે છે. ઉલ્લેખનિય છે કે પંજાબમાં જીત બાદ આપનું કદ સતત વધી રહ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
