'આપ'ના ફંડીંગની તપાસ થશે: શિંદે, ભાજપ-કોંગ્રેસના પણ ફંડીંગની તપાસ થવી જોઇએ: આપ
નવી દિલ્હી, 12 નવેમ્બર: આમ આદમી પાર્ટીને વિદેશથી મળી રહેલા નાણાને લઇને રાજનૈતિક ઘમાસાણ ચાલુ થઇ ગઇ છે. ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ જણાવ્યું છે કે તેમની પાસે આપને મળી રહેલા નાણાને લઇને ફરિયાદો આવી છે, તેની તપાસ કરાવવામાં આવશે. શિંદેના નિવેદન અનુસાર પ્રતિક્રિયા આપતા આપએ જણાવ્યું કે કોંગ્રેસ અને ભાજપને પણ મળી રહેલા નાણાની પણ તપાસ થવી જોઇએ. આપના સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે અમે કોઇપણ સ્તર પર તપાસ કરાવવા માટે તૈયાર છીએ. પરંતુ અમારી સાથે કોંગ્રેસ અને ભાજપને પણ ફંડીંગની માહિતી આપવી પડશે.
આ પહેલા દિલ્હીની મુખ્યમંત્રી શીલા દીક્ષિતે આપની ફંડિંગને લઇેન સવાલ ઉઠાવ્યા હતા. શીલાએ તેમની ઉપર લગાવવામાં આવેલા આરોપોને નિરાધાર ગણાવતા જણાવ્યું કે માત્ર કોઇની પર આંગળી ઉઠાવતા તે ભ્રષ્ટ નથી થઇ જતુ. દરેક જણ કાંચના મકાનમાં રહી રહ્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યા કે આપને ક્યાંથી ફંડીંગ મળી રહ્યું છે. તેમણે આપની ટિકા કરતા જણાવ્યું કે ચૂંટણી રાજનૈતિક દળોની નીતિઓ અને કાર્યક્રમોના વિસ્તૃત મુદ્દાઓ પર લડાવી જોઇએ અને એ ખાનગી આરોપો અને જવાબી આરોપોના આધાર પર નહી લડાવી જોઇએ.
આમ આદમી પાર્ટીનું કહેવું છે કે તેને 8 નવેમ્બર સુધી કુલ મળીને 18.92 કરોડનું નાણું મળી ચૂક્યું છે, જેમાંથી પાંચ કરોડ વિદેશી ફંડના રૂપમાં મળ્યું છે. પાર્ટી અનુસાર, પ્રવાસી ભારતીયો સહિત કુલ 63,000 લોકોએ પાર્ટીને ફંડ આપ્યું છે. આપની ફંડિંગ અંગે પાર્ટીના નેતાઓનું કહેવું છે કે નાણાની તમામ જાણકારી વેબસાઇટ પર ઉપલબ્ધ છે. પાર્ટીનું કહેવું છે કે તેમને વિદેશથી મળેલા નાણાનને વિદેશી ફંડ ના કહી શકાય કારણ કે તેઓ એવા લોકો પાસેથી જ ફંડ લઇ રહ્યા છે જેમની પાસે ભારતીય પાસપોર્ટ છે.

શિંદે પર પલટવાર કરતા કુમાર વિશ્વાસે જણાવ્યું કે ગૃહમંત્રી પોતાના પદ અનુસાર કામ નથી કરી રહ્યા. તેમણે જણાવ્યું કે ગૃહમંત્રીનું આ કામ નથી કે મીડિયામાં આવીને ઉત્તેજનાત્મક આરોપ લગાવે. તેઓ તાત્કાલિક એફઆઇઆર નોંધાવીને તપાસ કરાવે. કુમાર વિશ્વાસે જણાવ્યું કે અમે અમારી પાર્ટીના ફંડીંગની તપાસ માટે તૈયાર છીએ, પરંતુ કોંગ્રેસ અને ભાજપના ફંડીંગની પણ તપાસ થવી જોઇએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
