જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડે કેમ ‘આધાર' ને ગણાવ્યુ સંપૂર્ણપણે ગેરબંધારણીય
આધારની બંધારણીયતા અંગે બધા જજોનો અભિપ્રાય એક નહોતો. આધાર બિલને મની બિલ તરીકે પસાર કરવા પર જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડે પોતાનો અલગ અભિપ્રાય જણાવ્યો.
આધારની બંધારણીયતા અને અનિવાર્યતા અંગે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે અમુક શરતો સાથે આધારની બંધારણીય માન્યતાને અકબંધ રાખી છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે આધાર સાથે પેન જોડવાનો ચુકાદો અકબંધ રહેશે પરંતુ કોર્ટે કહ્યુ કે બેંક ખાતા સાથે આધારને જોડવુ હવે જરૂરી નથી. ના તો આધારને મોબાઈલ સાથે લિંક કરવાની જરૂર છે. પરંતુ સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો એકમત રહ્યો નથી. આધારની બંધારણીયતા અંગે બધા જજોનો અભિપ્રાય એક નહોતો. આધાર બિલને મની બિલ તરીકે પસાર કરવા પર જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડે પોતાનો અલગ અભિપ્રાય જણાવ્યો. પરંતુ સુપ્રીમ કોર્ટે આધારની માન્યતાને 4: 1 થી અકબંધ રાખી.

જસ્ટીસ ચંદ્રચૂડનો અભિપ્રાય અલગ
આધાર પર ચુકાદો સંભળાવતી વખતે ન્યાયમૂર્તિ અશોક ભૂષણે પણ પોતાનો અલગ ચુકાદો વાંચ્યો પરંતુ તેમણે સ્પષ્ટ કર્યુ કે ચીફ જસ્ટીસ દીપક મિશ્રા, જસ્ટીસ એ કે સીકરી અને જસ્ટીસ એ એમ ખાનવિલકર દ્વારા બહુમતના નિર્ણય સાથે વ્યાપક રીતે સંમત છે. પરંતુ જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડે આના પર પોતાની અસંમતિ વ્યક્ત કરી.

આધાર એક્ટ, મની બિલ નહિ
પોતાનો અસંતોષ વ્યક્ત કરતા ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડે કહ્યુ કે આધારની આખી પરિયોજનામાં 2009 થી જ ગેરબંધારણીય રીતે ગરબડ રહી છે. તેમણે કહ્યુ કે લોકસભા અધ્યક્ષનો આધાર વિધેયકને મની બિલ તરીકે વર્ગીકૃત કરવુ ખોટુ હતુ. કારણકે તેણે આધાર વિધેયકમાં રાજ્યસભાની ભૂમિકાને સીમિત કરીને કાયદો બનાવવાની સંઘીય પ્રક્રિયાને ફગાવી દીધી હતી. પોતાના ચુકાદામાં જસ્ટીસ ચંદ્રચૂડે કહ્યુ છે કે સાધારણ બિલને મની બિલ ઘોષિત કરવુ રાજ્યસભાને તેના અધિકારોથી વંચિત રાખવા સમાન છે. માટે આધાર એક્ટને મની બિલ ન કહી શકાય. જસ્ટીસ ચંદ્રચૂડે કહ્યુ કે આધાર એક્ટ બંધારણના અનુચ્છેદ (1) ને અનુરૂપ નથી એટલા માટે આ એક્ટ ગેરબંધારણીય છે.

આધારથી મોનિટરીંનું જોખમ
જસ્ટીસ ચંદ્રચૂડે કહ્યુ કે આધારમાંથી મોનિટરીંગ થવાનું ગંભીર જોખમ છે અને આધાર હેઠળ સ્ટોર ડેટાની સુરક્ષાથી પણ સમજૂતી થઈ શકે છે. અરજીકર્તાઓના લગભગ બધા તર્કોથી સંમત થતા ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે કહ્યુ કે આધાર પ્રાઈવસીના અધિકારનું ઉલ્લંઘન કરે છે કારણકે તેનાથી વ્યક્તિઓ અને મતદારોની પ્રોફાઈલિંગ થઈ શકે છે.

વ્યક્તિની આઝાદી અને ગરિમા મહત્વપૂર્ણ
પોતાના ચુકાદામાં જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડ આગળ કહે છે કે વ્યક્તિની આઝાદી અને ગરિમાને કોઈ અલ્ગોરિધમ કે ફોર્મ્યુલાના સહારે છોડી ન શકાય. આધાર પર ચુકાદો આપનારી પાંચ જજોની ખંડપીઠમાં ચીફ જસ્ટીસ દીપક મિશ્રા, જસ્ટીસ એ કે સિકરી, જસ્ટીસ એ એમ ખાનવિલકર, જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટીસ અશોક ભૂષણ શામેલ હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
