સુપ્રીમ કોર્ટ પહોંચ્યુ મહારાષ્ટ્રનુ રાજકીય સંકટ, શિવસેનાના બળવાખોર ધારાસભ્યો પર કાર્યવાહીની માંગ
મહારાષ્ટ્રમાં આવેલુ રાજકીય સંકટ હવે સુપ્રીમ કોર્ટના દરવાજા સુધી જઈ પહોંચ્યુ છે.
નવી દિલ્લીઃ મહારાષ્ટ્રમાં આવેલુ રાજકીય સંકટ હવે સુપ્રીમ કોર્ટના દરવાજા સુધી જઈ પહોંચ્યુ છે. વાસ્તવમાં, મધ્ય પ્રદેશ કોંગ્રેસના નેતા જયા ઠાકુરે સુપ્રીમ કોર્ટમાં એક અપીલ દાખલ કરીને એ બળવાખોર શિવસેના ધારાસભ્યો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે જેમના કારણે મહારાષ્ટ્રમાં સરકાર પડવાના આરે આવી ગઈ છે. જયા ઠાકુરે અરજીમાં માગણી કરી છે કે શિવસેનાના જે ધારાસભ્યોએ રાજીનામુ આપ્યુ છે અથવા વિધાનસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે એવા ધારાસભ્યોને પાંચ વર્ષ સુધી ચૂંટણી લડવા પર રોક લગાવવી જોઈએ. જયા ઠાકુરે અરજીમાં આવા નિર્દેશોની માંગણી કરી છે.

'પક્ષપલટો કરનારા નેતાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ'
જયા ઠાકુરની અરજીમાં કહેવામાં આવ્યુ છે કે, 'અન્ય રાજકીય પક્ષો શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને કારણે આ સ્થિતિનુ નુકસાન ઉઠાવી રહ્યા છે અને આવા ધારાસભ્યો આપણા દેશના વિવિધ રાજ્યોમાં ચૂંટાયેલી સરકારને નષ્ટ કરતા રહે છે. તેથી આવા ધારાસભ્યો પર કડક કાર્યવાહી થવી જોઈએ.' જયા ઠાકુરે અરજીમાં કહ્યુ છે કે પક્ષપલટો કરનારા ધારાસભ્યો અથવા રાજકીય પક્ષો આપણા દેશના લોકતાંત્રિક બંધારણને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી અમે કોર્ટના તાત્કાલિક નિર્દેશની માંગ કરીએ છીએ.
એએનઆઈના અહેવાલ મુજબ જયા ઠાકુરે તેમની પેન્ડિંગ અરજીમાં એક અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે તે સાંસદો/ધારાસભ્યો દ્વારા પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી જેઓ રાજીનામુ આપે છે અથવા વિધાનસભામાંથી અયોગ્ય ઠેરવવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતે 7 જાન્યુઆરી, 2021ના રોજ કેન્દ્ર અને અન્યને નોટિસ પાઠવી હતી. અરજદારના જણાવ્યા મુજબ પ્રતિવાદી કેન્દ્ર અને અન્ય લોકોએ આજ સુધી કાઉન્ટર એફિડેવિટ ફાઇલ કરી નથી. અરજદારે કહ્યુ છે કે અમારે એ નોંધવું પડશે કે અસંમતિ અને પક્ષપલટા વચ્ચેની રેખા સ્પષ્ટ કરવાની જરૂર છે જેથી લોકતાંત્રિક મૂલ્યોને અન્ય બંધારણીય બાબતો સાથે સંતુલિત રાખવામાં આવે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
