IndiGo ફ્લાઈટમાં યાત્રીએ ઈમરજન્સી દરવાજો ખોલતા અફડાતફડી મચી, જાણો શું છે પુરી ઘટના?
વિવિધ એરલાઈન્સ એક પછી એક વિવાદોમાં ફસાઈ છે ત્યારે હવે વધુ એક વિવાદ સામે આવ્યો છે. મળતી વિગતો અનુસાર ઈન્ડિગોની ફ્લાઈટમાં એક યાત્રીએ ઈમરજન્સી દરવાજો ખોલી દેતા અફરાતફરી ફેલાઈ ગઈ હતી.
નવી દિલ્હી : ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ઉડ્ડયન ઉદ્યોગને ગ્રહણ લાગ્યુ હોય તેવી પરિસ્થિતી સર્જાઈ છે. વિવિધ એરલાઈન્સ એક પછી એક વિવાદોમાં ફસાઈ છે ત્યારે હવે વધુ એક વિવાદ સામે આવ્યો છે. મળતી વિગતો અનુસાર ઈન્ડિગોની ફ્લાઈટમાં એક યાત્રીએ ઈમરજન્સી દરવાજો ખોલી દેતા અફરાતફરી ફેલાઈ ગઈ હતી.

મળી રહેલી વિગતો અનુસાર, ચેન્નઈથી તિરુચિરાપલ્લી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ ઉપડે તે પહેલા જ એક યાત્રીએ અચાનક ઈમરજન્સી દરવાજો ખોલી દીધો હતો. આ ઘટના બાદ અફડતફડી મચી હતી. જો કે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા પ્લેનને ફરીથી પ્રેસરાઈઝ કરીને ટેક ઓફ કરાયુ હતું. વિગતો અનુસાર આ ઘટનાને લઈને ફ્લાઈટ 2 કલાક મોડી ઉપડી હતી.
આ મુદ્દે યાત્રીએ એરલાઈનની માફી માંગી લીધી છે અને એરલાઈને પણ યાત્રીની માફી મંજુર કરતા કોઈ પગલા લીધા નથી. વિગતો અનુસાર, આ ઘટના 10 ડિસેમ્બરની છે. આ ઘટના ઈન્ડિગો 6E-7339 માં બની હતી.
આ મુદ્દે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને તપાસના આદેશ આપ્યા છે. ડીજીસીએના એક અધિકારીએ આ મુદ્દે જણાવ્યુ કે, તે આ મામલાની તપાસ કરી રહ્યા છે. આ ઘટના 10 ડિસેમ્બરે ચેન્નઈથી તિરુચિરાપલ્લી જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E-7339માં બની હતી. પ્લેનમાં એક મુસાફરે ઈમરજન્સી દરવાજો ખોલ્યો હતો. આ ઘટનાથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો અને સુરક્ષા તપાસ બાદ વિમાને ઉડાન ભરી હતી.












Click it and Unblock the Notifications
