તમિલનાડુની રાજનીતિમાં ઉથલપાથલના એંધાણ, ઓ પનીરસેલ્વમ અને ટીટીવી ધિનાકરનની મુલાકાતે અટકળો શરૂ કરી
એક તરફ કર્ણાટકમાં મતદાન યોજાવા જઈ રહ્યું છે તો બીજી તરફ તમિલનાડુની રાજનીતિમાં ઉથલપાથલના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજ્યના બે મોટા નેતાઓએ બેઠકકરતા હવે અટકળો શરૂ થઈ છે.
AIADMK માંથી હાંકી કાઢવામાં આવેલા નેતા ઓ પનીરસેલ્વમએ સોમવારે ચેન્નાઈમાં અમ્મા મક્કલ AMMK ના અધ્યશ્ર TTV ધિનાકરણ સાછે બેઠ કરી હતી. આ બેઠકને લઈને કેટલીક રાજકીય અટકળો લગાવવામાં આવી રહી છે.

પનીરસેલ્વમ અને ટીટીવી ધિનાકરણ વચ્ચેની બેઠક બાદ અટકળો શરૂ થઈ છે કે બંને નેતા 2024ની લોકસભા ચૂંટણી પહેલા હાથ મિલાવી શકે છે. આ બેઠક AIADMKને વર્તમાન પાર્ટી ચીફ ઈડાપ્પદી કે પલાનીસ્વામી અને તેમના સમર્થકો પાસેથી પાર્ટીને પરત મેળવવા માટે કરવામાં આવી છે.
ઓપીએસના રાજનીતિક સલાહકાર પનરુતિ એસ રામચંદ્રને જણાવ્યું કે, OPS અને TTV AIADMK ને અસામાજિક તત્વોની ચુંગાલમાંથી પાછી લાવવા કામ કરશે. બંનેએ આ માટે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે તે સાથે મળીને AIADMKમાંથી સ્વાર્થી શક્તિઓને બહાર કાઢશે.
ઓ પનીરસેલ્વમ ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તે 2001માં પ્રથમ વખત છ મહિના માટે સીએમ બન્યા હતા. સુપ્રીમ કોર્ટે જયલલિતા પર પ્રતિબંધ મૂક્યા બાદ 2014-15માં પનીરસેલ્વમ ફરીથી મુખ્યમંત્રી બન્યા હતા. 2016માં જયલલિતાના નિધન બાદ પનીરસેલ્વમ સીએમ બન્યા હતા.












Click it and Unblock the Notifications
