'પદ્માવતી' રિલીઝ થઇ તો જોહરની જ્વાળામાં ઘણું હોમાશે: કરણી સેના

ફિલ્મ 'પદ્માવતી' અંગેનો વિવાદ શમવાનું નામ નથી લેતો. રાજપૂત કરણી સેનાએ ફરી એકવાર ફિલ્મના પ્રદર્શન અંગે ચેતવણી આપી છે. આ અંગે વધુ વાંચો અહીં.

ફિલ્મ 'પદ્માવતી' અંગેનો વિવાદ શમવાનું નામ નથી લેતો. રાજપૂત કરણી સેનાએ ફરી એકવાર ફિલ્મના પ્રદર્શન અંગે ચેતવણી આપી છે અને કહ્યું છે કે, જો આ ફિલ્મ રિલીઝ થઇ તો ઘણું બધુ હોમાશે, રોકી શકો તો રોકી લો. રાજપૂત કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કલવીએ બુધવારે કહ્યું કે, જોહરની જ્વાળા છે, ઘણું બધું હોમાશે, રોકી શકો તો રોકી લો. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું એ દરમિયાન રાજપૂત કરણી સેનાએ ફિલ્મના સેટ પર તોડફોડ કરી હતી અને નિર્દેશક સંજય લીલા ભણસાલી સાથે હાથાપાઇ પણ કરી હતી.

Karni Sena

રાજપૂત કરણી સેનાનો આરોપ છે કે, 'પદ્માવતી' ફિલ્મમાં તથ્યો સાથે છેડછાડ થઇ છે અન તેમની માંગ છે ફિલ્મની રિલીઝ અટકાવવામાં આવે. મંગળવારે કોટાના એક મોલમાં 'પદ્માવતી' ફિલ્મની સ્ક્રિનિંગ દરમિયાન આ જ સંસ્થાના કેટલાક યુવાનો પહોંચ્યા હતા અને સ્ક્રિનિંગ અટકાવવા માટે તોડફોડ કરી હતી. બુધવારે જ આ ફિલ્મમાં પદ્માવતીનું પાત્ર ભજવનાર દીપિકા પાદુકોણે કહ્યું હતું કે, આ ફિલ્મના રિલીઝ થતા કોઇ રોકી નહીં શકે. બીજી બાજુ આ ફિલ્મ અંગેનો વિવાદ રાજસ્થાન બાદ ગુજરાત અને હવે બેંગલુરૂ સુધી પહોંચ્યો છે. દેશના વિવિધ વિસ્તારોમાં આ ફિલ્મનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X