સાઈરસ મિસ્ત્રી કાર અકસ્માત કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, અનાહિતા પંડોલે વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાઈ!
દેશના જાણીતા ઉદ્યોગપતિ સાઈરસ મિસ્ત્રીનું અકસ્માતમાં અવસાન થયા બાદ હવે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અકસ્માત કેસમા પોલીસે ડો.અનાહિતા પંડોલે સામે ફરીયાદ દાખલ કરી છે.
દેશના જાણીતા ઉદ્યોગપતિ સાઈરસ મિસ્ત્રીનું અકસ્માતમાં અવસાન થયા બાદ હવે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અકસ્માત કેસમા પોલીસે ડો.અનાહિતા પંડોલે સામે ફરીયાદ દાખલ કરી છે. પોલીસે અનાહિતા પંડોલે સામે કલમ 304(a), 279, 336, 338 હેઠળ ફરિયાદ નોંધી છે. તમને જમાવી દઈએ કે, પાલઘર પોલીસે કારની ડેટા ચિપના વિશ્લેષણના આધારે મર્સિડીઝ બેન્ઝના અંતિમ અહેવાલના આધારે એફઆઈઆર નોંધી છે. પોલીસે આ કેસમાં પંડોલેના પતિ ડેરિયસ પંડોલેનું નિવેદન પણ નોંધ્યું છે.

સાઈરસ મિસ્રીની કારનો સપ્ટેમ્બરે અકસ્માત થયો હતો, અકસ્માત વખતે અનાહિતા પંડોલે, ડેરિયસ પંડોલે અને મિસ્ત્રી અને તેમના એક મિત્ર ગુજરાતથી મુંબઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન કાર પંડોલેની પત્ની અને ગાયનેકોલોજિસ્ટ અનાહિતા ચલાવી રહી હતી. આ દરમિયાન મર્સિડીઝ બેન્ઝ કોંક્રિટ બેરિયર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં સાયરસ મિસ્ત્રી, તેમના મિત્ર ડેરિયસના ભાઈ જહાંગીર પંડોલે મૃત્યુ પામ્યા હતા.
ડૉ. અનાહિતા પંડોલેની મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યારે ડેરિયસને આ અઠવાડિયાની શરૂઆતમાં રજા આપવામાં આવી હતી. ડેરિયસે મંગળવારે તેના દક્ષિણ મુંબઈના ઘરે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન આપ્યુ છે. ડેરિયસના જણાવ્યા અનુસાર, તેની પત્ની અનાહિતા પંડોલે અચાનક ટ્રેક બદલતા આ અકસ્માત સર્જાયો હતો.
આ મામલે પોલીસના જણાવ્યા અનુસાર, અનાહિતા પંડોલેના પતિના નિવેદનના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. કાર ચલાવી રહેલી અનાહિતા પંડોલેની ભૂલને કારણે આ અકસ્માત થયો હતો. જેના કારણે મિસ્ત્રીનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, અનાહિતા પંડોલેના ડિસ્ચાર્જ બાદ આ મામલે વધુ તપાસ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીના મોતના સમાચારે ઘણા સવાલો ઉભા કર્યા હતા. આ મામલા પછી લોકોએ ભારતમાં રોડ સેફ્ટી પર સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
