દિલ્લી-મેરઠ એક્સપ્રેસવે પર સ્કૂલ બસ અને કારની ટક્કર, છ લોકોના દર્દનાક મોત
Ghaziabad Accident: ગાઝિયાબાદના ક્રોસિંગ રિપબ્લિક પાસે 11 જુલાઈ મંગળવારની સવારે એક દર્દનાક અકસ્માત થયો. દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર સ્કૂલ બસ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર છ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા.
અકસ્માતની જાણ થતાં પહોંચેલી પોલીસે તમામ મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. વળી, આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

તમને જણાવી દઈએ કે આ અકસ્માત દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર ગાઝિયાબાદ જિલ્લાના ક્રોસિંગ રિપબ્લિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાહુલ વિહાર પાસે થયો હતો. આ અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો.
અકસ્માતનું કારણ વધુ ઝડપ હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, ટક્કર એટલી ખતરનાક હતી કે અકસ્માત બાદ મૃતદેહો કારમાં જ ફસાઈ ગયા હતા. આ પછી કારમાં ફસાયેલા મૃતદેહોને કટર વડે ગેટ કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે મૃતદેહોને કારમાંથી કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ સ્કૂલ બસમાં કોઈ વિદ્યાર્થી ન હોવાનું જણાવાયું હતું. તે ખોટી દિશામાંથી આવી રહી હતી. આ મામલે ટ્રાફિક અધિકારીએ પણ પ્રતિક્રિયા આપી છે. પોલીસે જણાવ્યું કે આ મામલામાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ છે.
ગાઝિયાબાદમાં ટ્રાફિક એડીસીપી આર.કે. કુશવાહાએ જણાવ્યુ કે દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર સવારે લગભગ 6 વાગ્યે સ્કૂલ બસ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, 2 લોકો ગંભીર રીતે ઘાયલ છે. બસ ખોટી લેનમાં આવી રહી હતી. બસ ડ્રાઈવરની ભૂલ છે. બસના ડ્રાઈવરને પકડી લેવામાં આવ્યો છે.
સીએમ યોગી આદિત્યનાથના કાર્યાલય દ્વારા આ ઘટનાને ટ્વિટ કરવામાં આવી હતી. સીએમ યોગીના કાર્યાલયના ટ્વિટર એકાઉન્ટ પરથી લખવામાં આવ્યું હતું - ગાઝિયાબાદ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં થયેલ જાનહાનિ પર ઊંડું દુઃખ વ્યક્ત કરતા, મુખ્યમંત્રીએ શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મૃતકોની આત્માની શાંતિ અને ઘાયલોની ઝડપથી સ્વસ્થતાની કામના કરતા મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘાયલોને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે.
मुख्यमंत्री श्री @myogiadityanath जी महाराज ने जनपद गाजियाबाद में सड़क दुर्घटना में हुई जनहानि पर गहरा दुःख जताते हुए शोकाकुल परिजनों के प्रति अपनी संवेदनाएं व्यक्त की हैं।
— Yogi Adityanath Office (@myogioffice) July 11, 2023
महाराज जी ने दिवंगत आत्माओं की शांति और घायलों के शीघ्र स्वस्थ होने की कामना करते हुए जिला प्रशासन के…
તમને જણાવી દઈએ કે આ પહેલા સોમવારે બપોરે યુપીના પ્રતાપગઢ જિલ્લાના લીલાપુરમાં ટેન્કર સાથે અથડામણમાં ટેમ્પોમાં મુસાફરી કરી રહેલા આઠ લોકોના મોત થયા હતા અને સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
