પંજાબના 50 શિક્ષકો IIM અમદાવાદ ટ્રેનિગ માટે રવાના, મંત્રીએ લીલી ઝંડી આપીને રવાના કર્યા
પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર રાજ્યમાં શિક્ષણમાં સતત મોટા સુધારાઓ પર ધ્યાન આપી રહી છે. આ ક્રમમાં સરકારે શિક્ષકોની ટ્રેનિંગ પર વિશેષ ધ્યાન આપ્યુ છે. હવે પંજાબના 50 શિક્ષકો ટ્રેનિંગ માટે અમદાવાદ રવાના થયા છે.
પંજાબ સરકારે ટ્રેનિંગ માટે આજે બીજી 50 મુખ્ય શિક્ષકોની બેચ રવાના કરી છે. શિક્ષણ મંત્રી હરજોત બેન્સના નેતૃત્વમાં આ બેચ IIM અમદાવાદ ટ્રેનિંગ લેશે. જવા રવાના થયા. જણાવી દઈએ કે મંત્રી હરજોત સિંહ બેન્સે પોતે લીલી ઝંડી આપીને મુખ્ય શિક્ષકોને રવાના કર્યા છે. મુખ્ય શિક્ષકોને વિશેષ તાલીમ માટે મોકલવામાં આવ્યા છે.

અહીં હરજોત સિંહ બેન્સે કહ્યું કે, મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં શિક્ષણ ક્રાંતિ થઈ રહી છે. જણાવી દઈએ કે, મુખ્ય શિક્ષકોની બીજી બેચ 28 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી અમદાવાદમાં ટ્રેનિંગ લેશે. આ બેચને મોહાલીના સેક્ટર-26 સ્થિત મહાત્મા ગાંધી ઈન્સ્ટિટ્યૂટમાંથી ફ્લેગ ઓફ કરવામાં આવી છે.
શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સે આગળ જણાવ્યુ કે, મુખ્ય શિક્ષકોને દેશ-વિદેશમાં આધુનિક તાલીમ આપવામાં આવે છે, જેથી તે કંઈક વિશેષ શીખી શકે. સરકાર દ્વારા શાળાઓમાં શિક્ષણ સુધારવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે અગાઉ શિક્ષકોને બ્લોક અને જિલ્લા સ્તરે તાલીમ આપવામાં આવી હતી. આ દરમિયાન શિક્ષકોને કંઈ ખાસ શીખવા મળ્યું નહીં. તેમણે કહ્યું કે, સરકારી શાળાઓમાં સવારની સભા સમયે તમામ બાળકોને દેશની એકતા અને માનવતા વિશે 10 મિનિટ ભજન ગવડાવવામાં આવે છે. જેથી બાળકો દેશ, દરેક ધર્મ અને જાતિનું સન્માન કરતા શીખે.
હરજોત સિંહ બેન્સે દાવો કર્યો કે, સરકારી શાળાઓમાં અગાઉના વર્ષોની સરખામણીમાં આ વખતે સારું પરિણામ આવ્યું છે. તેમણે કહ્યું કે, પ્રિ-પ્રાઈમરીમાં 17 ટકા એડમિશન વધ્યા છે. પંજાબના સૌથી પછાત વિસ્તાર તરીકે ઓળખાતા તરન તારણમાં પણ ધોરણ 1માં પ્રવેશમાં 25 ટકાનો વધારો જોવા મળ્યો છે.
તેમણે કહ્યું કે, આગામી સમયમાં વધુ બેચને તાલીમ માટે મોકલવામાં આવશે, જેથી પંજાબના શિક્ષકો શ્રેષ્ઠ અનુભવ લે. અત્યારસુધીમાં 138 આચાર્યોએ સિંગાપોરમાં તાલીમ લીધી છે. IIM અમદાવાદ દેશની નંબર વન સંસ્થા છે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે, જ્યારે તમામ શિક્ષકોની તાલીમ પૂરી થશે ત્યારે એક સંયુક્ત સત્ર બોલાવવામાં આવશે, જેમાં શાળાઓમાં થઈ રહેલા સુધારા અંગે ચર્ચા કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
