ફટાકડાની દુકાનમાં આગ લાગી, 5 લોકોના મોત
તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લાના શંકરાપુરમ શહેરમાં મંગળવારના રોજ એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. આ ઘટનામાં ફટાકડાની દુકાનમાં આગ લાગી હતી. જેમાં કુલ 5 લોકોના મોત થયા છે. આ ઘટનામાં કેટલાય લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
નવી દિલ્હી : તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લાના શંકરાપુરમ શહેરમાં મંગળવારના રોજ એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. આ ઘટનામાં ફટાકડાની દુકાનમાં આગ લાગી હતી. જેમાં કુલ 5 લોકોના મોત થયા છે. આ ઘટનામાં કેટલાય લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. તમામ ઘાયલેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જો કે આગનું ચોક્કસ કારણ હજૂ સુધી જાણી શકાયું નથી. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, ફટાકડાની દુકાનમાં આગ લાગવાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને ઈમરજન્સી વોર્ડમાં દાખલ ઘાયલોને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
મળતી માહિતી મુજબ દિવાળીના કારણે શંકરપુરમ શહેરમાં આવેલી દુકાનમાં ફટાકડાનો મોટો સ્ટોક હતો. મંગળવારના રોજ અચાનક દુકાનમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો, આ અંગે લોકો કંઈ સમજે તે પહેલા જ દુકાન આગના લપેટામાં આવી ગઈ હતી. તાત્કાલિક પહોંચેલા ફાયર બ્રિગેડના વાહનોએ બચાવ કામગીરી શરૂ કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં 5 લોકોના મોત થઈ ચૂક્યા હતા. જિલ્લા કલેક્ટર પીએન શ્રીધરે આ અંગે માહિતી આપી છે. શ્રીધરે જણાવ્યું હતું કે, ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. આ સાથે એક ટીમ આ સમગ્ર ઘટનાની તપાસમાં લાગેલી છે.
આ પહેલા 16 લોકોના મોત થયા હતા
ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં તમિલનાડુના વિરુધુનગરમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. જેના કારણે 16 લોકોના મોત થયા છે. મૃતકોમાં એક મહિલા પણ શામેલ છે. નિષ્ણાતોના મતે ફટાકડાની ફેક્ટરીઓ અને દુકાનોમાં ઘણો દારૂગોળો હોય છે, પરંતુ પૈસા બચાવવા માટે તેના સંચાલકો ઈમરજન્સી માટે જરૂરી વસ્તુઓ રાખતા નથી, જેના કારણે આવી ઘટનાઓ બને છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
