ઇરાકમાં અપહરણ કરાયેલા તમામ 39 ભારતીયોની થઇ મોત
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આજે રાજ્યસભામાં જાહેરાત કરી કે ઇરાનમાં અપહરણ કરાયેલા 39 ભારતીયોની મોત થઇ છે.
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આજે રાજ્યસભામાં જાહેરાત કરી કે ઇરાનમાં અપહરણ કરાયેલા 39 ભારતીયોની મોત થઇ છે. રાજ્યસભામાં સુષ્માએ કહ્યું કે અમને 38 લોકોના ડીએનએ ટેસ્ટ કરાવ્યા છે. જે તે વ્યક્તિ સાથે મેળ થાય છે. અને 39માં વ્યક્તિનું ડીએનએ પણ તેનાથી 70 ટકા મેળ ખાય છે. સાથે જ તેમણે જણાવ્યું કે ઇરાકમાં માર્યા ગયેલા ભારતીયોના નશ્વર અવશેષોને પાછા લેવા માટે વીકે સિંહ ઇરાક જશે. પણ આ તમામ લોકોની મોત થઇ છે. વધુમાં તેમણે જણાવ્યું કે આ લોકોના અવશેષ વિમાન દ્વારા પહેલા અમૃતસર પછી પટના અને કોલકત્તા લઇ જવામાં આવશે. સુષ્માએ સદનમાં જાણકારી આપી કે મોતના અવશેષ બગદાદ મોકલવામાં આવ્યા છે. અને આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકો મુખ્યત્વે 4 રાજ્યો પંજાબ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારથી હતા.

વધુમાં સુષ્માએ આ અંગે જણાવ્યું કે અપહરણ પછી આ લોકોની મોતના ખબર મળતા જનરલ વીકે સિંહ, રાજદૂત પ્રદીપ રાજપુરોહિત અને ઇરાક સરકારના અધિકારી ત્યાં ગયા હતા. ત્યાં જાણકારી મળી હતી કે પહાડ પર કેટલાક લોકોને દફનાવવામાં આવ્યા છે. અને ઇરાકી અધિકારીઓથી આ માટે ડીપ પૈનિટ્રેશન રડારની મદદ માંગી હતી જેના કારણે ખબર પડી કે નીચે કેટલાક લોકોના શબ દફનાવવામાં આવ્યા છે. તે પછી માર્ટિયસ ફાઉન્ડેશનની મદદથી તેમના પરિવાર જનોના લોહી મંગાવવામાં આવ્યા અને મૃતકોના ડીએનએ સાથે ચકાસવામાં આવ્યા.
જે પછી આ વાતની અધિકૃત જાહેરાત કરી ત્યાંથી તેમના પાર્થિવ દેહ અહીં લાવવાની અધિકૃત પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જો કે આ મૃતકોના શરીરને દફનાવી દેવાના કારણે તેમના થોડાક જ અવશેષ અને કડા, બાળ, આઇડી કાર્ડ જેવા કેટલાક અવશેષ જ મળ્યા છે. આ અવશેષોના આધારે જ અમે આગળ તપાસ કરી આ વાત સુધી પહોંચ્યા છીએ. સાથે જ તેમણે આ ઘટનાના પગલે શોક વ્યક્ત કરી. મૃતકોના પરિવાર માટે સંવેદના વ્યક્ત કરી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
