2015માં રજાઓ પર લાગશે નહી ગ્રહણ, હરો-ફરો અને જલસા કરો
બેંગ્લોર, 3 જાન્યુઆરી: નવું વર્ષ નવું આશાઓ લઇને દરવાજા પર આવી ચૂક્યું છે. નોકરિયાત લોકો માટે સૌથી મનપસંદ વસ્તુ જો કોઇ હોય તો તે છે રજા. પરંતુ આ વખતે નવું વર્ષ તમારા માટે સારું સાબિત થવાનું છે. આ વખતે તમારી રજાઓ રવિવારને બલી નહી ચઢે. 2015માં ફક્ત બે રવિવાર જ તમારી રજાઓ પર ગ્રહણ લગાવશે.

ખૂબ ફરો આ વર્ષે
5 માર્ચ (ગુરૂવાર)ના રોજ હોળી તથા 6 માર્ચ શુક્રવારે ધૂળેટીની રજા આવે છે, જેમાં શનિવારની રજા લઇને તમે રવિવાર સુધી તમારા પરિવાર સાથે રહીને તહેવાર ઉજવવાની તક મળી રહી છે. ત્યારબાદ 14 એપ્રિલ (મંગળવાર)ના રોજ આંબેડકર જયંતિ આવે છે, જેની વચ્ચે સોમવારે રજા લઇને તમે ટૂરનો પ્રોગામ બનાવી શકો છો. તો બીજી તરફ 17 જુલાઇ (શુક્રવાર)ને અલવિદા તથા 18 જુલાઇ (શનિવર)ના રોજ ઇદ આવે છે, જેના લીધે લોકો પોતાના પરિવાર સાથે ઇદ ઉજવી શકશે.
15 ઓગષ્ટ (શનિવાર)ના રોજ સ્વતંત્રતા દિવસ તથા 29 ઓગષ્ટ (શનિવાર)ના રોજ રક્ષાબંધન આવે છે, જેમાં સોમવારની રજા લઇને ટૂરનો પ્રોગામ બનાવી શકાય. આ ઉપરાંત 2 ઓક્ટોબર (શુક્રવાર)ના રોજ ગાંધી જયંતિ, 24 ઓક્ટોબર (શનિવાર)ના રોજ તાજિયા, 17 નવેમ્બર (મંગળવાર) ડાળા છઠ્ઠ તથા 25 ડિસેમ્બર (શુક્રવાર)ના ક્રિસમસ ડે જેવી રજાઓ વચ્ચેમાં આગળ-પાછળ રજા લઇને ટૂરનો પોગ્રામ બનાવી શકાય છે.
લોકોમાં છે ખુશી
હુસૈનગંજ લખનઉ નિવાસી કાર્યરત શિક્ષિકા રેણું કહે છે કે રવિવારે સાર્વજનિક રજા આવવી ખૂબ કષ્ટદાયક લાગે છે. તે રવિવારની આસપાસ રજા ઇચ્છે છે, જેથી તેમને પોતાના ઘરમાં રોકાવવાની વધુ તક મળી શકે.
તે કહે છે 'મહેરબાની છે કે આ વખતે ફક્ત બે રવિવારે જ સાર્વજનિક રજાની બલી ચઢી રહ્યાં છે. આ ઉપરાંત ખુશી એ વાતની છે કે નવા વર્ષમાં ટૂર પોગ્રામ માટે આગળ-પાછળ રજા આવે છે, જેથી ઘર-પરિવાર સાથે વધુમાં વધુ સમય વિતાવવાની તક મળશે.''
એક પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરનાર જૂહી સિંહ રજાઓની યાદી જોઇને ખુશ છે. તેમનું કહેવું છે કે આ વખતે ટૂર પોગ્રામ નક્કી કરવામાં માથાકૂટ કરવી નહી પડે. તે જણાવે છે કે હોળી, રક્ષાબંધન તથા દિવાળી જેવા ખાસ તહેવારની સાથે અન્ય રજાઓ પર ટૂર પ્રોગામ બનાવવામાં રવિવારની આગળ-પાછળ અથવા વચ્ચે આવતાં મદદ થઇ રહી છે.
હજરતગંજ નિવાસી દીપાંશુ ખોસલા એક ખાનગી કંપનીમાં કામ કરે છે. તેમણે કહ્યું કે આ વખતે 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ સોમવારે આવે છે. એટલા માટે મંગળવાર અથવા શનિવારે રજા લઇને ત્રણ દિવસનો ટૂર પોગ્રામ બનાવી શકાય. ત્રણ ફેબ્રુઆરી (મંગળવાર)ના રોજ રવિદાસ જયંતિ અને 17 ફેબ્રુઆરી (મંગળવાર)ના રોજ મહાશિવરાત્રિ આવે છે, જેથી સોમવારની રજા લઇને ટૂર પોગ્રામ બનાવી શકાય છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
