મહારાષ્ટ્રમાં ગણેશ વિસર્જન દરમિયાન અલગ-અલગ જગ્યાએ 20 લોકોના મોત, અડધાથી વધારે ડુબ્યા
મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગણેશ વિસર્જન પ્રસંગે અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. જેમાંથી 14-15 લોકો નદી કે કેનાલમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. મુંબઈ પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે
મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગણેશ વિસર્જન પ્રસંગે અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. જેમાંથી 14-15 લોકો નદી કે કેનાલમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. મુંબઈ પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે 31 ઓગસ્ટથી શરૂ થયેલો 10 દિવસનો ગણેશ ઉત્સવ શુક્રવારે તેમની મૂર્તિના વિસર્જન સાથે સમાપ્ત થયો હતો.

મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું છે કે વર્ધા જિલ્લાના સાવંગીમાં ત્રણ લોકો ડૂબી ગયા છે, જ્યારે દેવલીમાં એક વ્યક્તિનું મોત થયું છે. યવતમાલ જિલ્લામાં પણ મૂર્તિ વિસર્જન દરમિયાન બે લોકોના મોત થયા છે. અહેમદનગર જિલ્લાના સુપા અને બેલવંડીમાં અલગ-અલગ ઘટનાઓમાં બે લોકો ડૂબી ગયા, જ્યારે જલગાંવમાં પણ બે લોકોના મોત થયા.
રાયગઢ જિલ્લાના પનવેલ ખાતે એક સરઘસ દરમિયાન વીજળી પડતાં નવ વર્ષની બાળકી સહિત ઓછામાં ઓછા 11 લોકો ઘાયલ થયા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે વડઘર કોલીવાડા ખાતે પાવર જનરેટરનો કેબલ તૂટી જતાં આ ઘટના બની હતી. ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
10-દિવસીય ઉત્સવ શુક્રવારે પૂરો થયા બાદ શનિવારે સવાર સુધી મુંબઈના વિવિધ જળાશયોમાં ભગવાન ગણેશની 38,000 થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જ્યારે શહેરમાં કેટલાક સ્થળોએ હજુ પણ વિસર્જનની સરઘસ ચાલી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
