ઝેર બન્યું મધ્યાહન ભોજન: 20ના મોત, બિહારમાં વિરોધ પ્રદર્શન
છપરા, 17 જુલાઇઃ બિહારના સારણ જિલ્લામાં એક સરકારી વિદ્યાલયમાં મંગળવારે મધ્યાહન ભોજન બાદ 20 બાળકોના મોત નીપજ્યાં છે જ્યારે 40થી વધુ બાળકો બિમાર પડ્યાં છે. સારણ જિલ્લાના દંડાધિકારી અભિજીત સિન્હાએ કહ્યું કે, મશરખના ઘરમસ્તી પ્રાથમિક વિદ્યાલયમાં મધ્યાહન ભોજન બાદ 20 બાળકોનાં મૃત્યુ થયા છે. તેમણે જણાવ્યું કે, 80થી વધુ બાળકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બીજી તરફ આ દુર્ઘટનાને લઇને બિહારમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આી રહ્યાં છે અને અનેક ઠેકાણે તોડફોડ પણ કરવામાં આવી હોવાના અહેવાલ છે. આ વચ્ચે ભાજપ અને આરજેડી દ્વારા સાસન બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે.
બાળકોના મોતથી નારાજ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સ્થાનિક પોલીસ મથકને ઘેરી લીધું છે. નારાજ લોકોએ શાળાના શિક્ષકો અને જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પીડિતના પરિજનોને બે-બે લાખ રૂપિયાની ઘોષણા કરી છે.

બપોરે બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું
તેમણે શિક્ષામંત્રી પીકે શાહીને આ મુદ્દે ચર્ચા માટે બોલાવ્યા છે. બિહારમાં મધ્યાહન ભોજન યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચારની ફરિયાદ મળતી રહી છે અને ખાદ્ય ગુણવત્તા પર સરકારી નિર્દેશની અવગણના કરવામાં આવી રહી છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, પ્રાથમિક વિદ્યાલયમાં મંગળવારે બપોરે બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું.

બિમાર બાળકોને તાત્કાળ રૂપે હોસ્પિટલ લઇ જવાયા
ભોજન કર્યા બાદ તમામ બાળકોને ઉલ્ટી થઇ અને પેટમાં દુખાવાની ફરિયાદ હતી. બિમાર બાળકોને તાત્કાળ રૂપે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, જ્યાં 20 બાળકોનાં મૃત્યુ થયા હતા.

પરિવારજનોમાં માતમ
મધ્યાહન ભોજનની ખીચડી ખાવાથી મૃત્યુ પામનારા પરિવારજનોમાં માતમ છવાયો છે. બીજી તરફ બાળકોના મોતથી નારાજ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સ્થાનિક પોલીસ મથકને ઘેરી લીધું છે. નારાજ લોકોએ શાળાના શિક્ષકો અને જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પીડિતના પરિજનોને બે-બે લાખ રૂપિયાની ઘોષણા કરી છે.

કીટનાશક ભેળવેલું ભોજન ખાવાથી થઇ આ દશા
મધ્યાહન ભોજનની ખતરનાક કહાણી અટકે તેમ જણાતું નથી. આ પહેલા પણ દેશના અનેક હિસ્સાઓમાંથી આવા સમાચાર આવતા રહ્યાં છે. બાળકોની સારવાર કરી રહેલા ડોક્ટર કેએન દુબેએ જણાવ્યું કે પીડિત બાળકોમાં જે લક્ષણ જોવા મળી રહ્યાં છે, તેનાથી લાગે છે કે કીટનાશક ભેળવેલું ભોજન ખાવાથી તેમની આ દશા થઇ છે. મૃત બાળકોનું ઝડપથી પોસ્ટમાર્ટમ કરીને તેમના પરિજનોને સોંપવા અને એમ્બ્યુલન્સથી તેમના ઘરો સુધી પહોંચાડવાના નિર્દેશ જિલ્લાધિકારીએ આપ્યાં છે.

નીતિશના રાજીનામાની માંગ
આ ઘટના બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ભાજપના નિશાના પર છે. ભાજપ નેતા શાહનવાજ હુસૈને નીતિશ કુમારના રાજીનામાની માંગ કરી છે.
તેમણે શિક્ષામંત્રી પીકે શાહીને આ મુદ્દે ચર્ચા માટે બોલાવ્યા છે. બિહારમાં મધ્યાહન ભોજન યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચારની ફરિયાદ મળતી રહી છે અને ખાદ્ય ગુણવત્તા પર સરકારી નિર્દેશની અવગણના કરવામાં આવી રહી છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, પ્રાથમિક વિદ્યાલયમાં મંગળવારે બપોરે બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું.
ભોજન કર્યા બાદ તમામ બાળકોને ઉલ્ટી થઇ અને પેટમાં દુખાવાની ફરિયાદ હતી. બિમાર બાળકોને તાત્કાળ રૂપે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, જ્યાં 11 બાળકોનાં મૃત્યુ થયા હતા. આ ઘટના બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ભાજપના નિશાના પર છે. ભાજપ નેતા શાહનવાજ હુસૈને નીતિશ કુમારના રાજીનામાની માંગ કરી છે.
મધ્યાહન ભોજનની ખતરનાક કહાણી અટકે તેમ જણાતું નથી. આ પહેલા પણ દેશના અનેક હિસ્સાઓમાંથી આવા સમાચાર આવતા રહ્યાં છે. બાળકોની સારવાર કરી રહેલા ડોક્ટર કેએન દુબેએ જણાવ્યું કે પીડિત બાળકોમાં જે લક્ષણ જોવા મળી રહ્યાં છે, તેનાથી લાગે છે કે કીટનાશક ભેળવેલું ભોજન ખાવાથી તેમની આ દશા થઇ છે. મૃત બાળકોનું ઝડપથી પોસ્ટમાર્ટમ કરીને તેમના પરિજનોને સોંપવા અને એમ્બ્યુલન્સથી તેમના ઘરો સુધી પહોંચાડવાના નિર્દેશ જિલ્લાધિકારીએ આપ્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
