શંકરસિંહ વાઘેલાએ રામ મંદિર મુદ્દે વિવાદ છેડ્યો, કહ્યું- રામ ટેન્ટમાં રહે કે મંદિરમાં, તેનાથી કોઈ ફરક પડતો નથી.
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મૈદાન તૈયાર છે. તમામ પાર્ટીઓ ઉમેદવારોને જીતાડવા માટે મેદાનમાં ઉતરી ચુકી છે. ગુજરાતમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે હવે રામ મંદિરની એન્ટ્રી થઈ છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મૈદાન તૈયાર છે. તમામ પાર્ટીઓ ઉમેદવારોને જીતાડવા માટે મેદાનમાં ઉતરી ચુકી છે. ગુજરાતમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે હવે રામ મંદિરની એન્ટ્રી થઈ છે. ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બીજેપી પર પ્રહારો કર્યા છે અને રામ મંદિરને લઈને બીજેપી માત્ર માર્કેટીંગ કરતી હોવાનો આરોપ લગાવ્યો છે.

બીજેપી પર પ્રહાર કરતા કહ્યું કે, રામ ટેન્ટમાં રહે કે મંદિર, તેનાથી કોઈ ફરક પડતો નથી. ભાજપ મંદિરને લઈને માર્કેટિંગ કરે છે. ફરક એ વાતથી પડે છે કે ગરીબોને ભોજન અને રોજગાર મળે છે કે નહીં? આ મહત્વનું છે. આ નિવેદન સામે આવ્યા બાદ ભાજપે હવે મોરચો ખોલ્યો છે. બીજેપીએ કહ્યું કે, શંકરસિંહ વાઘેલાએ ભગવાનનું અપમાન કર્યું છે.
અહીં શંકરસિંહ વાઘેલાએ અરવિંદ કેજરીવાલને પણ નિશાના પર લીધા હતા. તેમણે આગળ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ ક્યારેય નેતા બની શકે નહી., IAS/IPS ઓફિસર ક્યારેય સારા નેતા બની શકતા નથી. કેજરીવાલ સંઘના માણસ છે, ભાજપ માટે કામ કરે છે. આરએસએસ હવે ભાજપમાં ભળી ગયું છે. તેની વિચારસરણી હવે મુક્ત નથી.
અહીં તમને જણાવી દઈએ કે, શંકરસિંહ વાઘેલા ગુજરાતના મોટા નેતા છે. મુખ્યમંત્રી અને સાંસદ રહી ચુકેલા શંકરસિંહે હવે રામ મંદિરને લઈને નવો વિવાદ છેડ્યો છે. અહીં એક વાત એ પણ ઉલ્લેખનિય છે કે, શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસની ટિકિટ પર બાયડથી ચૂંટણી લડી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
