વરેલી શંકાસ્પદ લઠ્ઠાકાંડ: ઉડતા પંજાબ પછી "ઉડતા ગુજરાત"?
ગુજરાતભરમાં દારૂબંધી છે તેમ છતાં ઠેર ઠેર દેશી દારૂના વેચાણની બાતમી અને પોલિસની રેડની ખબરો આવતી રહે છે. ત્યારે સુરતના વરેલી પાસે 20 લોકોની શંકાસ્પદ કારણોના લીધે થયેલી મોત શંકાસ્પદ લઠ્ઠાકાંડ તરફ ઇશારો કરે છે. તે વાત સ્પષ્ટ જ છે કે 20 લોકોની મોત બાદ તંત્ર સાબદૂ થયું છે. આ આખી ઘટનાએ રાજકીય રંગ લીધા છે. કોંગ્રેસથી લઇને વિવિધ નેતાઓ આ અંગે પોતાના નિવેદન આપી ચૂકી છે.
પણ તેથી પણ મોટી સવાલ તે ઊભો થયો છે કે શું જે રીતે પંજાબ ડ્રગ્સના નશામાં તેના અટવાઇ ગયું છે તે જ રીતે શું ગુજરાત પણ દેશી દારૂના નશામાં ચકચૂર બની ગયું છે. શું આ વિકાસશીલ ગુજરાતનીની એક કાળી બાજુ છે? ત્યારે વરેલી શંકાસ્પદ લઠ્ઠાકાંડ અત્યાર શું પરિસ્થિતિ તેની વિગતવાર માહિતી જાણો અહીં....

મૃત્યુઆંક 20એ પહોંચ્યો!
સુરતના પાસે આવેલા વરેલી ગામમાં છેલ્લા છ દિવસમાં 20 લોકો મૃત્યુ પામ્યા. આ અકુદરતી મોત પાછળ શંકાસ્પદ લઠ્ઠાકાંડને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. એક પછી એક ટપોટપ લોકોને મોતના કારણે આજે કોંગ્રેસ દ્વારા વરેલીમાં બંધ પણ પાળવામાં આવ્યા છે. અને લોકોએ પણ આ સ્વયંભૂ બંધ પાળ્યો છે.

સરકાર શું કરી રહી છે?
નોંધનીય છે કે પોલિસે મૃત્યુ પામેલા લોકોના શબ પોસ્ટ મોર્ટમ માટે મોકલાવ્યા છે. પણ પોસ્ટ મોર્ટમના રિપોર્ટમાં પણ સ્પષ્ટ પણે કંઇ બહાર નથી આવ્યું. સાથે જ રાજ્યના ગૃહમંત્રીએ આ પર રિપોર્ટ મંગાવ્યો છે. વધુમાં લોકદબાણ બાદ પી.આઇ એચ કે ભરવાડને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વધુમાં રાજ્ય સરકારે તપાસ સમિતિ રચી છે.

શંકરસિંહ વાધેલાનો આરોપ
તો કોંગ્રેસે આ મામલે બંધનું એલાન કર્યું છે. વધુમાં શંકરસિંહ વાધેલા ભાજપ પર આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે મંત્રીઓના ઘરની પાછળ ચાલતા દારૂના અડ્ડા સરકાર બંધ કરાવે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપની મહેરબાની આવા અડ્ડાઓ ચાલે છે. તેમણે કહ્યું કે "ગુજરાતના યુવાધનને બીજું પંજાબ નથી બનવા દેવું અમારે"

અલ્પેશ ઠાકોર
જો કે વધુમાં આજે અલ્પેશ ઠાકોરે પણ વરેલીની મુલાકાત લઇને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સહાયની ટીકા કરતા 4 લાખના વળતરની માંગ કરી હતી. અને એસપીને પણ સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.

ગુજરાતમાં દારૂબંધી છે?
ત્યારે વરેલી જેવા બનાવો ગુજરાતમાં દારૂબંધી છે કે નહીં તે પર મોટો સવાલ ઊભો કરે છે. કારણ કે દારૂ બંધી ભલે હોય પણ દેશી દારૂના અડ્ડા ઠેર ઠેર ચાલી રહ્યા છે. જેને બંધ કરાવવા માટે પોલિસ અને રાજ્ય સરકાર પાંગળી પડી હોય તેવું લાગે છે!
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
