Gujarat unseasonal Rain : કમોસમી વરસાદથી થયેલા નુકસાનની આકારણી કરી તાત્કાલિક વળતર આપે સરકાર - અમિત ચાવડા
Gujarat unseasonal Rain : સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ અને વાદળછાયું વાતાવરણને કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. આ વચ્ચે ખેડૂતોને થયેલા નુકસાનની આકારણી કરીને તેના નુકસાનની ભરપાઇ કરવા માટે અમિત ચાવડાએ માંગ કરી છે.
Gujarat unseasonal Rain : હાલ સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ અને વાદળછાયું વાતાવરણ છે. આ વચ્ચે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ આ અંગે સરકાર પાસે માંગ કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને જે નુકસાન થયું હોય તેનો તાત્કાલિક સર્વે કરાવીને તેઓને તેમના ખેતરમાં વાવેલ એકર પ્રમાણે વળતર આપવામાં આવે.

ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં સમગ્ર ગુજરાતના 10 થી વધારે જિલ્લાઓમાં કરા અને માવઠા પડી રહ્યા છે. આ સાથે આગામી બે દિવસની અંદર 15 જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, ખાસ કરીને આવા સમયે સૌથી વધારે નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે. આ માવઠાથી ખેડૂતોના પાક અને વાવેલા દાણ નિષ્ફળ જઈ રહ્યા છે.
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, દેશ અને ગુજરાતના ખેડૂતો પહેલેથી જ મંદી અને મોંઘવારી સામે જજુમી રહ્યા છે. જે સાથે તેમના વાવેલા પાકના પૂરતા એમએસપી પ્રમાણે રૂપિયા પણ મળતા નથી. જૂના પાક વિમાના પાકેલા નાણાં મેળવવા જગતનો તાત હજૂ પણ વલખા મારી રહ્યો છે, ત્યારે આવા સમયે આવેલા કમોસમી વરસાદે ખેડૂતોની સ્થિતિ કફોડી કરી દીધી છે.
ગુજરાત વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ સરકાર પાસે માંગણી કરતા જણાવ્યું હતું કે, કૃષિ નિષ્ણાતો અનુસાર રાજ્યમાં શનિવારના રોજ મોટાભાગના સ્થળોએ પાંચ મિલિમિટર જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા વધુ માવઠાની આગાહી કરવામાં આવી છે. એક ઇંચ કે, તેથી વધુ વરસાદ પડે તો રવિ પાક સહિત બટાકા, ચણા, જીરું, તમાકુ, વરિયાળી, ઘઉં અને શાકભાજીના પાકોમાં મોટાપાયે નુક્સાન થવાની ભીતિ રહે છે. સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને જે નુકસાન થયું હોય તેનો તાત્કાલિક સર્વે કરાવીને તેઓને તેમના ખેતરમાં વાવેલ એકર પ્રમાણે વળતર આપવામાં આવે.












Click it and Unblock the Notifications
