Tarnetar no melo 2025 : તરણેતરના સુપ્રસિદ્ધ લોકમેળાની શરૂઆત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Tarnetar no melo 2025 : સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો લોકમેળો આવતીકાલથી ભક્તિ અને ઉલ્લાસના વાતાવરણમાં શરૂ થઈ રહ્યો છે.
ભાદરવા સુદ ચોથથી છઠ સુધી ચાલનારો આ મેળો ૨૬ થી ૨૯ ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાને ઉજાગર કરશે.

મુખ્ય આકર્ષણો
- પશુ પ્રદર્શન અને હરીફાઈ : આ મેળામાં પશુ પ્રદર્શન અને વિવિધ હરીફાઈઓનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગ્રામીણ જીવનની ઝલક રજૂ કરશે.
- ગ્રામીણ ઓલિમ્પિક : ૨૦મી ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં રમતવીરો તેમની શક્તિ અને કૌશલ્યનું પ્રદર્શન કરશે.
- સાંસ્કૃતિક કાર્યક્રમો : મેળામાં લોકનૃત્ય, સંતવાણી, લોકડાયરા, રાસ-ગરબા, અને હુડા જેવા પરંપરાગત કાર્યક્રમો યોજાશે, જે મેળાની રંગત વધારશે.
- છત્રી હરીફાઈ : તરણેતરના મેળાની ઓળખ સમાન છત્રી હરીફાઈ અને વેશભૂષા હરીફાઈ પણ યોજાશે.
મહત્વના કાર્યક્રમો
૨૬ ઓગસ્ટ (કેવડા ત્રીજ)
- સવારે ૯:૩૦ કલાકે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન અને જલાભિષેક થશે.
- સાંજે ૯:૩૦ કલાકે વિવિધ રાવટીના ભક્તજનો દ્વારા સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.
૨૭ ઓગસ્ટ (ગણેશ ચતુર્થી)
- સાંજે ૫:૩૦ કલાકે પાળિયાદના પૂ. વિસામણ બાપુની જગ્યાના મહંત પૂ. શ્રી નિર્મળાબા ઉનડબાપુના હસ્તે ધ્વજારોહણ થશે.
- રાત્રે ૯:૦૦ કલાકે લોકકલાકારો દ્વારા ભવ્ય લોકડાયરો યોજાશે.
૨૮ ઓગસ્ટ (ઋષિ પંચમી)
- સવારે ૬:૩૦ કલાકે મંદિરના કુંડમાં ગંગા અવતરણ આરતી યોજાશે.
- સવારે ૧૦:૦૦ કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.
૨૯ ઓગસ્ટ (છઠ)
- સવારે ૭:૦૦ કલાકે ગંગા વિદાય આરતી યોજાશે.
- બપોરે ૧૨:૦૦ કલાકે ધ્વજારોહણ બાદ મેળાની પૂર્ણાહુતિ થશે.
આ ઉપરાંત મેળા દરમિયાન ગુજરાતના પ્રવાસન નિગમ દ્વારા તોરણ ટુરિસ્ટ વિલેજ અને વિવિધ હરીફાઈઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિજેતાઓને ઈનામો અપાશે. આ મેળો પાંચાળની પુરાતન સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
