સુરેન્દ્રનગર: ધારસભ્ય જગદીશ મકવાણાએ કર્યું નવા પુલનું ઉદ્ધાટન
Surendranagar: રતનપર વિસ્તારમાં આવેલા જિલ્લા પંચાયત કચેરીને નવા સરકીટ હાઉસથી જોડતા નવનિર્મિત પુલનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ભાજપના ધારાસભ્ય જગદીશ મકવાણાએ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું.
રૂપિયા 5 કરોડના ખર્ચે બનેલા ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અગાઉના કોઝવેને બદલવા માટે બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ જિલ્લાના મૂળી, સાયલા અને ચોટીલા તાલુકામાંથી આવતા લોકોની અવરજવરને સરળ બનાવશે.

વધુમાં તે ચોમાસા દરમિયાન રહેવાસીઓને રાહત લાવશે, કારણ કે અગાઉનો કોઝવે આ સમયગાળા દરમિયાન બંધ રહેતો હતો. અંદાજિત રૂપિયા 28 કરોડના ખર્ચે અહીં વધુ એક પુલ બનવાની ધારણા હોવાનું પણ જાણવા મળે છે.
"ડબલ એન્જીન સરકારમાં નાગરિકોના અવિરત વિશ્વાસથી ચાલતી વિકાસની યાત્રાને મળ્યો વધુ વેગ"
— Jagdish Makwana (@JagdishMakwana_) February 10, 2024
આજરોજ સુરેન્દ્રનગર ખાતે UDP - 88 વર્ષ : 2020 - 21 યોજના હેઠળ અંદાજીત રૂ. 495 લાખના ખર્ચે નિર્મિત જિલ્લા પંચાયત થી નવા સર્કીટ હાઉસ તરફના કોઝવેનું લોકાર્પણ કર્યું. pic.twitter.com/jY8V58Vs8d












Click it and Unblock the Notifications
