દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા જોવા 1 દિવસમાં 34000 લોકો આવ્યા
ગુજરાતના કેવડિયા સ્થિત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
ગુજરાતના કેવડિયા સ્થિત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે 34 હજાર પ્રવાસીઓ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની આ પ્રતિમાને જોવા માટે આવ્યા હતા. આ સંખ્યા એક દિવસમાં પહોંચેલા પ્રવાસીઓની સૌથી મોટી સંખ્યા છે. આ અગાઉ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી-શનિવારે દિવાળીના એક જ દિવસમાં 31700 પ્રવાસીઓના આગમનને કારણે 28400 પ્રવાસીઓનો રેકોર્ડ તૂટી ગયો હતો. જો કે, આ રેકોર્ડ ટૂંક સમયમાં તૂટી ગયો હતો. 24 કલાકમાં 34000 પ્રવાસીઓ પહોંચવાનો રેકોર્ડ નોંધવામાં આવ્યો.

2 દિવસમાં 66 હજાર લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પહોંચ્યા
'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ઓથોરિટી સાથે સંકળાયેલા સંચાલકોએ જણાવ્યું હતું કે શનિવાર-રવિવારે (એટલે કે 2 દિવસ) 66 હજાર લોકોના આગમન સાથે મેનેજમેન્ટે 1 કરોડની આવક મેળવી છે. તેમણે કહ્યું કે સામાન્ય રીતે રાષ્ટ્રીય રજા પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય છે. જો કે, સામાન્ય દિવસોમાં 6 ટિકિટ વિંડોઝ ઉપલબ્ધ છે. હવે આ વિંડોની સંખ્યા વધારવી પડશે.

ભયંકર ગરમી વચ્ચે પણ પ્રવાસીઓ આવી રહ્યા હતા
આ વર્ષે મે મહિનામાં પ્રાપ્ત માહિતી અનુસાર, સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને પ્રતિમાના અનાવરણના મહિનાથી સાતમા મહિના સુધીમાં પ્રવાસીઓ પાસેથી 35 કરોડની આવક મળી હતી. મે-જૂનમાં, ગુજરાતમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ હતું, તેમ છતાં આવી ભીષણ ગરમીમાં પણ સરદાર પટેલની 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' માટે પ્રવાસીઓમાં ભારે રસ જોવા મળ્યો હતો. દરરોજ 10,000 જેટલા લોકો તેમને જોવા માટે આવતા હતા.

સ્ટેચ્યુ ઓફ યુનિટીને પર્યટન સ્થળ વિકસાવવા હજારોનો ખર્ચ
સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા પાછળ સરકારે 3000 કરોડનો ખર્ચ કર્યો છે. દુનિયાનું સૌથી પ્રતિષ્ઠિત સ્થળ બનાવવા માટે 30 થી વધુ પ્રોજેક્ટ શરૂ થશે. હવે સરકાર અહીં ગાર્ડન, રસ્તા, હોટલ, સફારી પાર્ક અને અન્ય મનોરંજન પાર્ક સ્થાપિત કરશે. નર્મદા વિભાગના એક અધિકારીનું જણાવવું છે કે એવી તૈયારીઓ કરી દેવાઈ છે કે આદિવાસીઓએ તેમની જમીન છોડવી જ પડશે.

પ્રતિમાની ઉંચાઈ
આ પ્રતિમા ગુજરાતમાં નર્મદા નદીના તટ પર સરદાર સરોવરથી 3.5 કિમીની દૂર છે. આ મૂર્તિની લંબાઈ 182 મીટર છે અને આ મૂર્તિ સાત કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે.

વન વિભાગે કેવાડિયામાં જંગલી પ્રાણીઓ માટે બનાવ્યો આ પ્લાન
સિંહ અને વાઘ ઉપરાંત, સરકારના વન વિભાગે કેવાડિયામાં ઓસ્ટ્રેલિયાના જાણીતા કાંગારૂ, દરિયાઈ ઘોડા, જીરાફ અને અન્ય પ્રાણીઓને સમાવવાની યોજના બનાવી છે. સરકારે જુરાસિક પાર્ક બનાવવાનું પણ નક્કી કર્યું છે. સરકારે જુરાસિક પાર્ક બનાવવાનું પણ નક્કી કર્યું છે. આ પાર્કમાં 75 ફીટ ઊંચો ડાઈનોસોર બનાવવામાં આવશે, જે પર્વતની ટોચ પર મૂકવામાં આવશે.

22 કિલોમીટર વિસ્તારમાં 30 પ્રોજેક્ટ તૈયાર થશે
કેવાડિયામાં હાઇલેવલ બ્રિજ બનાવવામાં આવશે અને પ્રવાસીઓને મફત વાઇ-ફાઇ સુવિધા પ્રદાન કરવામાં આવશે. જો 22 કિ.મી. વિસ્તારમાં 30 પ્રોજેક્ટ્સ તૈયાર કરવામાં આવે છે, તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં પ્રવાસનનું કેન્દ્ર બનશે. આ સ્થાને ચિલ્ડ્રન્સ નેશનલ પાર્ક અને એકતા નર્સરી પ્રોજેક્ટ પણ કરવામાં આવી રહ્યો છે. પ્રવાસીઓ માટે સેલ્ફિ પોઇન્ટ પણ વિકસાવવામાં આવશે.

સરકાર આ સ્થળે સરદાર સરોવર રિસોર્ટ બનાવશે
કેવિડિયામાં પ્રવાસીઓ માટે સસ્તી આવાસ બનાવવાની યોજના પણ છે. સરકાર આ સ્થળે સરદાર સરોવર રિસોર્ટ બનાવવા માંગે છે. સરકારે અમુલ પાર્લર માટે પણ જગ્યા આપી છે. 22 કિમીના વિસ્તારમાં પહોંચવા માટે, સરદાર સરોવર નર્મદા કોર્પોરેશન બસ સુવિધા સ્થાપિત કરવા માંગે છે. નર્મદા કોર્પોરેશનના સૂત્રોનું કહેવું છે કે, 31 ઓક્ટોબર, 2019 ના રોજ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં આવશે અને 30 સરકારી પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.

બનાવટ છે ખાસ
જેવામાં આ પ્રતિમા જેટલી ખાસ છે, એટલી જ ખાસ તેની બનાવટ પણ છે. આ કૉમ્પોજિટ પ્રકારનું સ્ટ્રક્ચર છે અને સરદાર પટેલની મૂર્તિ ઉપર બ્રૉન્ઝનું ક્લિયરિંગ છે. આ પ્રોજેક્ટમાં એક લાખ 70 હજાર ક્યૂબિક મીટર કૉન્ક્રીટ લગાવેલ છે. સાથે જ બે હજાર મેટ્રિક ટન બ્રૉન્ઝ લગાવવામાં આવ્યું છે.

બનાવતાં કેટલો સમય લાગ્યો
આ ઉપરાંત 5700 મેટ્રિક ટન સ્ટ્રક્ચરલ સ્ટીલ અને 18500 મેટ્રિક ટન રિફાઈનફોર્સમેન્ટ બાર્સનો પણ ઉપયોગ રવામાં આવ્યો છે. આ મૂર્તિ 22500 મેટ્રિક ટન સીમેન્ટથી બની છે. આ વિશાળ પ્રતિમાની ઉંચાઈ 182 મીટર છે. આ મૂર્તિને બનાવવામાં લગભગ 44 મહિના જેટલો સમય લાગ્યો છે.

ખેડૂતો પાસેથી એકઠું કર્યું લોખંડ
આ લોખંડી પુરૂષની પ્રતિમાના નિર્માણમાં લાખો ટન લોખંડ અને તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને અમુક ટન લોખંડ દેશભરના ખેડૂતો પાસેથી માગીને લગાવવામાં આ્યું છે. આ મૂર્તિને બનાવવા માટે લોખંડ દેશભરના ગામડામાં રહેતા ખેડૂતાના ખરાબ થઈ ગયાં હોય અથવા તો જૂનાં થઈ ગયાં હોય તેવાં ખેતીના હથિયારોમાંથી એકઠું કરવામાં આવ્યું છે. આના માટે એક ટ્રસ્ટ પણ બનાવવામાં આવ્યું 'સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ.' જેનો પાયો નરેન્દ્ર મોદીએ 2013માં નાખ્યો હતો.
આ પણ વાંચો: સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનશે હોટલ-મૉલ, 5 હજાર આદિવાસીઓ તેના વિરોધમાં
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
