સોહરાબુદ્દીન કેસમાં હત્યારાઓને નહિ, નેતાઓને ફસાવવા ઈચ્છતી હતી CBI: કોર્ટ
કોર્ટે આ કેસમાં સીબીઆઈની તપાસ પર મોટી ટિપ્પણી કરતા કહ્યુ છે કે અથડામણની તપાસ સમજી વિચારેલી રણનીતિ હેઠળ નેતાઓને ફસાવવા માટે કરવામાં આવી હતી.
બહુચર્ચિત સોહરાબુદ્દીન અને તુલસીરામ પ્રજાપતિ એન્કાઉન્ટરમાં 13 વર્ષ બાદ ચુકાદો આવ્યો હતો. સ્પેશિયલ સીબીઆઈ અદાલતે આ કેસમાં બધા 22 આરોપીઓને છોડી મૂક્યા હતા. કોર્ટે આ મામલે રજૂ કરેલા દસ્તાવેજોને સંતોષપૂર્ણ ન ગણાવતા કહ્યુ કે આને ષડયંત્ર અને હત્યા ગણવા માટે પૂરતા પુરાવા નથી. કોર્ટે આ કેસમાં સીબીઆઈની તપાસ પર મોટી ટિપ્પણી કરતા કહ્યુ છે કે અથડામણની તપાસ સમજી વિચારેલી રણનીતિ હેઠળ નેતાઓને ફસાવવા માટે કરવામાં આવી હતી.

‘સીબીઆઈ પાસે પૂર્વ નિર્ધારિત સિદ્ધાંત અને પટકશા હતી'
વિશેષ કોર્ટના જજ એસ જે શર્માએ આ મામલે 22 આરોપીઓને છોડી મકતા 350 પાનાંના ચૂકાદામાં આ ટિપ્પણી કરી છે. જજે કહ્યુ, ‘મને એ કહેવામાં કોઈ સંકોચ નથી કે સીબીઆઈ જેવી મોટી તપાસ એજન્સી પાસે એક પૂર્વ નિર્ધારિત સિદ્ધાંત અને પટકથા હતી જેનો ઈરાદો નેતાઓને ફસાવવાનો હતો.'

‘સત્ય સામે લાવવાના બદલે અમુક વસ્તુઓ પર કામ કર્યુ'
ચુકાદામાં કહેવામાં આવ્યુ છે કે સીબીઆઈ દ્વારા મામલાની તપાસ દરમિયાન સત્ય સામે લાવવાના બદલે અમુક વસ્તુઓ પર કામ કરવામાં આવી રહ્યુ હતુ. આનાથી સ્પષ્ટ થાય છે કે સીબીઆઈ પહેલેથી સમજી વિચારેલી રણનીતિ અને પૂર્વ નિર્ધારિત સ્ક્રિપ્ટને સાચી સાબિત કરવા ઈચ્છતી હતી. સીબીઆઈ કાયદા મુજબ તપાસ ન કરીને પોતાના લક્ષ્યને મેળવવા માટે કામ કરી રહી હતી.

‘રાજનીતિથી પ્રેરિત હતી તપાસ'
કોર્ટે કહ્યુ કે પોલિસ ટીમે ત્રણ લોકોનું અપહરણ કર્યુ તેના કોઈ પુરાવા નથી. સીબીઆઈ પણ સાબિત કરવામાં નિષ્ફળ રહી કે કથિત ઘટના સમયે આરોપી પોલિસકર્મીઓ હાજર હતા. કોર્ટે કહ્યુ છે કે ઘણા સાક્ષીઓ કોર્ટમાં તૂટી ગયા હતા અને તેમણે કહ્યુ કે સીબીઆઈએ તેમના પર દબાણ કર્યુ હતુ. જજ એસ જે શર્માએ કહ્યુ કે તેમના પૂર્વાધિકારી (જજ એમબી ગોસ્વામી) એ આરોપી સંખ્યા 16 ભાજપ અધ્યક્ષ અમિત શાહને છોડી મૂકવાનો આદેશ આપતા કહ્યુ હતુ કે આ તપાસ રાજનીતિથી પ્રેરિત હતી.

નેતાઓને ફસાવવા માટે તૈયાર કરી સ્ક્રિપ્ટ સાચી સાબિત કરવા ઈચ્છતી હતી સીબીઆઈ
ચુકાદામાં એમ પણ કહેવામાં આવ્યુ કે સમગ્ર તપાસનું લક્ષ્ય એ મુકામ પર પહોંચવા માટે એક સ્ક્રિપ્ટ પર કામ કરવાનું હતુ. નેતાઓને ફસાવવા માટે સીબીઆઈના સાક્ષીઓ રચ્યા અને આરોપપત્રમાં સાક્ષીઓના નિવેદન નોંધ્યા. સ્પેશિયલ કોર્ટે ચુકાદામાં કહ્યુ છે કે સીબીઆઈએ અફડાતફડીમાં તપાસ પૂરી કરી અને બેદરકારી દાખવી. અદાલતે ચુકાદામાં કહ્યુ છે કે ત્રણ લોકોના મરવાનું દુખ છે કે તેના માટે સજા ન મળી શકી પરંતુ કોર્ટ પાસે આરોપીઓને છોડી મૂકવા સિવાય કોઈ વિકલ્પ નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
