નર્મદાનું પાણી ઘટતા સાબરમતીના જળ સ્તરમાં પણ ઘટાડો
નર્મદા ડેમમાંથી પાણી સ્તર ઓછું થતા તેની અસર સાબરમતીમાં પણ દેખાઇ.અમદાવાદની સાબરમતી નદીમાં પણ જળસ્તરમાં ભારે ઘટાડો નોંધાયો છે.
નર્મદા ડેમમાંથી છોડાતા નીર ઘટતા અમદાવાદની સાબરમતી નદીમાં પણ જળસ્તરમાં ભારે ઘટાડો નોંધાયો છે. સાબરમતી નદીમાં નર્મદા નદીની મુખ્ય કેનાલમાંથી પાણી છોડવામાં આવે છે. ત્યારે નર્મદાનું પાણી 400 ક્ચૂસેક ઘટાડીને ફક્ત 100 ક્યૂસેક કરવામાં આવી છે તેને પરિણામે સાબરમતી નદીમાં જળ સ્તર ઘટ્યું અને વાસણા બેરેજ ખાતે નદીના પાણીની સપાટી 132. 50 ફૂટ થઈ છે. અને કરાઈ ખાતેના સાયફન માંથી પાણીની નજીવી આવક. વાસણા બેરેજ ખાતે નદીની સપાટી 132.50 ફૂટ પર સ્થિર ફતેવાડી કેનાલમાં 400 ક્યુસેક પાણી અપાઈ રાહ્યુ છે.
ઉલ્લેખનીય છેકે નર્મદા નદીમાંથી 15 માર્ચના રોજ ખેડૂતોને પણ ખેતીનું પાણી આપવાનું બંધ કરવામાં આવ્યુ છે.

ખેડૂતોન ફક્ત પીવા માટે નર્મદાનું પાણી અપાશે. જોકે આ મુદ્દે ખેડૂતો આંદોલન કરી લેવાના મૂડમાં છે. ત્યારે હાલમાં નર્મદા નર્મદા બંધ ની જળ સપાટી 105.50 મીટર છે અને નદીમાં પાણીની આવક 2493 ક્યુસેક છે તથા આઇબીપીટીમાંથી 7597 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે જેમાં 6792 ક્યુસેક પાણી કેનાલમાં પીવા માટે તથા 623 ક્યુસેક પાણી ગોડબોલે ગેટમાંથી નદીમાં છોડાય છે.
મધ્યપ્રદેશના પારવરહાઉસ કાર્યરત થવાથી 2493 ક્યુસેકની પાણીની આવક થઈ રહી છે જે ગુજરાત માટે સારા સમાચાર ગણી શકાય. દરમિયાનઆજે નર્મદા જિલ્લામાંમાં ખેડૂતો પાણી મુદ્દે આંદોલન કરનાર છે .અને આજથી મુખ્યકેનાલને જોડતી બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડવાનુ બંધ થતાં ઇરીગેશન બાય પાસ ટનલમાંથી પાણીનો ફ્લો જે 10 હજાર ક્યુસેક જેટલો હતો જે ઘટાડીને 7597 ક્યુસેક થયો છે ત્યારે ખેડ઼ૂતો હવે ઉનાળા દરમયાન ખેતી માટે પાણી ક્યાથી લાવશે તે પાણપ્રશ્ન બની રહ્યો છે.
તો આતરફ અમદાવાદમાં તો છેલ્લા કેટલાય વર્ષોથી સાંજે મોટા ભાગના વિસ્તારોમાં પાણીકાપ જેવી પરિસ્થિતિ જ પ્રવર્તી રહી છે. ત્યારે હવે નર્મદાનું પાણી ઓછુ થશે તો ઉનાળામાં પાણી માટે કેવી વ્યવસ્થા કરવી તે અંગે નાગરિકો પણ વિમાસણમાં મૂકાયા છે. તો વળી દરવર્શે જ્યારે નદીમાં પાણ ઘટે ત્યારે લીલ અને ગંદકીના કારણે ફેલાતા દુર્ગંધથી નદી તટે અને આસપાસના વિસ્તારોમાં રહેતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે અને કરોડો રૂપિયાન ખર્ચે બનાવેલા રિવર ફ્ન્ટ પર પણ દુર્ગંધના લીધે કોઈ ટહેલવા આવી શકતું નથી. આ પરિસ્થિતિમાં હવે આકરા ઉનાળા દરમિયાન નદીને વહેતી રાખવા તંત્ર શું ઉપાય કરે છે તે જોવું રહ્યું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
