VIDEO: રાજકોટમાં ચાલે છે 'રોટી-બેંક', ભૂખ્યા લોકો માટે હજારો રોટલીઓ
તમે રૂપિયા ઉપરાંત, સોના અને ચાંદીની બેંક જોઈ હશે, પરંતુ ક્યારેય રોટી બેંક જોઈ છે? ગુજરાતમાં, એક બેંક રાજકોટના બોલબાલા ટ્રસ્ટના મકાનમાં ચાલે છે
તમે રૂપિયા ઉપરાંત, સોના અને ચાંદીની બેંક જોઈ હશે, પરંતુ ક્યારેય રોટી બેંક જોઈ છે? ગુજરાતમાં, એક બેંક રાજકોટના બોલબાલા ટ્રસ્ટના મકાનમાં ચાલે છે, જેમાં ભૂખ્યા લોકો માટે રોટલી એકત્રિત કરવામાં આવે છે. દરરોજ હજારો ઘી વાળી રોટલીઓ એકત્રિત થાય છે. પછી તે ગરીબોને, રસ્તામાં બેઠેલા ભિખારીઓને અને ઝૂંપડપટ્ટીવાળા લોકોને ખવડાવવામાં આવે છે. આ ચાર વર્ષથી ચાલતી બેંકનો હેતુ છે કે- કોઈને ભૂખ્યું ન ઊંઘવું પડે !
આ પણ વાંચો: મધ્યપ્રદેશના એન્જીનીયરીંગ વિધાર્થીઓએ બાઈક એમ્બ્યુલન્સ તૈયાર કરી

રોટી બેંકમાં દરરોજ 3000 થી 3500 રોટલીઓ જમા થાય છે
બોલબાલા ટ્રસ્ટના ડિરેક્ટર જયેશ ઉપાધ્યાય કહે છે કે શરૂઆતમાં 250 થી 300 રોટલી દરરોજ ભેગી થતી હતી.પછીથી આ સંખ્યા વધતી ગઈ, કારણ કે ઘણા લોકો દાન-પુણ્ય કરવા લાગ્યા. બધી રોટલીઓ જરૂરિયાતમંદ માટે વિતરિત કરવામાં આવે છે. આ રોટલીઓને હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવે છે અને મજૂરોમાં પણ વહેંચવામાં આવે છે.

મહિલાઓ ઉત્સાહથી લાઈનમાં ઉભી રહીં રોટલીઓ જમા કરવામાં આવે છે
જયેશ ઉપાધ્યાયે આગળ જણાવ્યું હતું કે, તેમને રોટી બેંકની શરૂઆત કરવાનો વિચાર સરકારી હોસ્પિટલોમાં બહારથી આવતા લોકોની મુશ્કેલીઓને જોયા પછી આવ્યો હતો. તેથી આ દર્દીઓ અને તેમના પરિવારોની ભૂખ દૂર કરવાનું કાર્ય શરુ કર્યું. ખાસ વસ્તુ એ છે કે આ રોટી બેન્કમાં માત્ર તાજી અને ચોખ્ખા ઘી વાળી રોટલીઓ જ લેવામાં આવે છે. સામાન્ય રીતે મહિલાઓ, લાઈનમાં ઊભા રહેવા માટે ખચકાતી હોય છે, પરંતુ અહીં ઉત્સાહ સાથે લાઈનમાં આવે છે અને રોટલીઓ જમા કરાવે છે. જો કે, કેટલાક સ્થળોએ અમારા કાર્યકર્તાઓ જાતે જ રોટલીઓ લેવા જાય છે.

રોટલી સાથે શાક અને મીઠાઈ પણ પીરસવામાં આવે છે
ટ્રસ્ટ દ્વારા રોટલી સાથે શાક અને મીઠાઈ પણ ગોઠવવામાં આવે છે, અને રોટલીઓને સવારથી બપોર સુધી જમા કરીને જરૂરિયાતમંદોને ભૂખ સંતોષવાનો પ્રયાસ કરવામાં આવે છે. તે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પૌષ્ટિક ખોરાક પૂરો પાડવાનો પ્રયાસ કરે છે. જો કે, આવા મોટા શહેરમાં 3000-3500 રોટલીઓથી દરેકને પેટ ભરવું મુશ્કેલ છે, પરંતુ દરરોજ 1000 થી વધુ ભૂખ્યા લોકોનું પેટ ભરવામાં આવે છે.

રોટી બેન્ક 10,000 થી વધુ ભૂખ્યા લોકોનું પેટ ભરશે
અહીં રોટલી આપવા આવતા લોકોનું માનવું છે કે પુણ્ય જ સૌથી મોટું ફળ છે. જો તમે કોઈનું સારું કરશો તો કુદરત દરેકનું સારું કરશે. એટલા માટે રોટલી આપતા લોકોની સંખ્યા દરરોજ વધી રહી છે. આગામી સમયમાં, તેઓ 10,000 થી વધુ ભૂખ્યા લોકોને ખોરાક આપવાનું લક્ષ્ય રાખે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
