ડમીકાંડમાં ભાવનગર પોલીસે યુવરાજસિહના સાળા પાસેથી 38 લાખ રૂપિયાની રિકવરી કરી
રાજ્યમાં જે રીત ભરતી પરીક્ષા તેમજ યુનિવર્સિટીની પરીક્ષાોમાં પેપર ફૂટવાની ઘટના બને છે તે રાજ્યના યુવાનો માટે ગંભીર બાબત છે. આ પેપર ફુટવાની ઘટનાને ખુલી પાડનાર યુવરાજસિહ જાડેજા ખુદ આ સમગ્ર મામલે તોડ કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ભાવનગર ડમીકાંડમાં પોલીસે યુવરાજસિહના સાળા કાનભા ગોહિલ પાસેથી 38 લાખ રૂપિયા રિકવર કર્યા હતા.

ભાવનગરના ડબીકાંડને પગલે તોડકાંડ પણ બહાર આવેલ છે જેમાં પોલીસે યુવરાજસિંહ જાડેજા સહિત ના રૂ.1 કરોડની ખંડણી માંગ્યાની પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે યુવરાજસિંહની ધરપકડ કર્યા બાદ તેના સાળા કાનભા ગોહિલની સુરતથી ધરપકડ કરી હતી. દરમિયાન પોલીસ પોલીસે કાનભા ગોહિલ પાસેથી રૂ.38 લાખ રિકવર કર્યા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ.
ભાવનગર પોલીસ દ્વારા યુવરાજસિહ જાડેજાની ધરપકડ કરીને કોર્ટ પાસેથી વધારે ડમીકાડં મામલે વધારે પુછપરછ કરવા માટે રિમાંડ મેળવ્યા હતા. 29 એપ્રિલ 5 વાય્યા સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવેલ છે.
ડમીકાંડ મામલે જાણવા મળતી માહિતી મુજબ પોલીસ દ્વારા યુવરાજસિહના સાળાને સુરતથી ભાવનગર લાવીને તેની વધારે પુછપરછ કરવામાં આવી હતી. જેમા તેણે પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે, આ કામ માટે પ્રકાશ કુમાર ઉર્ફ પી.કે અને પ્રદીપ બારેયા ધનશ્યામ લાધવા તથા બીપીન ત્રીવેદી મારફતે એક કરોડ રૂપિયા લઇને ડમીકાંડમાં નામ નહી જાહેર કરવા માટે ડીલ નક્કી કરવામાં આવ્ી હતી.
આ રૂપિયા શિવુભઆએ રુપાણી સર્કલ ભાવનગર ખાતેના રહેણાંક ફ્લેટમાં એક બેગમાં તાળુ મારીને મેકાલા હતા. પોલીસ દ્વારા આ સ્થળ પર તપાસ કરતા 38 લાખ રૂપિયા એક બેગમાંથી મળી આવ્યા હતા. આ એક કરોડમાથી મધ્યસ્થીની ભૂમિકા ભજવનાર ધનશ્યામ લાધવા તથા બીપીન ત્રીવેદીને કમીશન પેટે દશ ટકાન લેખે 10 લાખ રુપિયા આપવામાં આવ્યા હતા .જેમાથી બંનેએ 5-5 લાખ રુપિયા શિવભદ્રસિહએ ગોહેલે આપેલા હતા.












Click it and Unblock the Notifications
