જામજોધપુરના બે લોકો 25 લાખની રકમ સાથે ઝડપાયા
પોરબંદર પાસે આવેલા રાણાવાવમાંથી પોલિસે 21 લાખની નવી નોટો સાથે 2 લોકોની અટકાયત કરી.
ગુજરાતમાં નોટબંધી બાદ કરવામાં આવી રહેલી પોલિસ તપાસમાં તેવા અનેક કિસ્સા ધીરે ધીરે બહાર આવી રહ્યા છે જેમાં લોકો મોટી રકમ સાથે ઝડપાઇ રહ્યા છે. અને આ રકમ તેમની પાસે ક્યાંથી આવી તેની કોઇ વિગતો તેમની પાસેથી નથી મળી રહી.

ત્યારે આવા જ એક અન્ય કેસમાં રાણાવાવના બોરડી થી સખપુર જતાં રસ્તેથી જામજોધપુરના બે વ્યક્તિ 25 લાખની રકમ સાથે ઝડપાયા છે. નોંધનીય પોલિસ દ્વારા જે બે લોકોની અટક કરવામાં આવી છે. તેમાંથી 21 લાખની નવી બે હજારના દરની નોટો ઝડપાઈ છે. જો કે રકમ અંગે કોઈ ચોક્કસ પુરાવા નહીં અપાતા કરાઈ અટકાયતમાંથી એક વ્યક્તિ નાસી છુટ્યો. ત્યારે હાલ તો પોલીસ દ્વારા આઇ. ટી.ને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ.













Click it and Unblock the Notifications
