PM મોદી એશિયાના સૌથી લાંબા રોપ-વેનુ કરશે લોંચિંગ, CM રૂપાણી ખુદ જશે ગિરનારથી અંબાજી
ગુજરાતમાં એશિયાના સૌથી લાંબા રોપ-વેનુ 24 ઓક્ટોબરે ઉદ્ઘાટન થશે.
અંબાજીઃ ગુજરાતમાં એશિયાના સૌથી લાંબા રોપ-વેનુ 24 ઓક્ટોબરે ઉદ્ઘાટન થશે. આ પ્રોજેક્ટ હેઠળ ગિરનાર પર્વતની તલેટીથી વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિર સુધી સિગ્નલ કેબલ વર્ક ઈન્સ્ટૉલેશન થઈ રહ્યુ છે. થોડા દિવસમાં આ કામ પૂરુ થઈ જશે. ત્યારબાદ ગિરનારની તલેટીથી અંબાજી સુધીનુ અંતર માત્ર 7.5 મિનિટમાં જ કાપી શકાશે. મંદિર સુધી પહોંચવા માટે લોકોને 9999 સીડીઓ ચડવી નહિ પડે અને ઉંચાઈથી લોકો ગિરનારની સુંદરતાની મઝા પણ લઈ શકશે.

પ્રધાનમંત્રી મોદી કરશે રોપ-વે પ્રોજેક્ટનુ ઉદ્ઘાટન
માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 24 ઓક્ટોબરે ગિરનાર રોપ-વેનુ ઈ-લોંચિગ કરશે. પ્રશાસન આના લોકાર્પણ માટે જોરશોરથી તૈયારી કરી રહ્યુ છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ખુદ ગિરનાર રોપ-વે થઈને અંબાજી મંદિર જશે. જિલ્લાના કલેક્ટર ડૉ. સૌરભ પારધીએ જણાવ્યુ કે, 'રોપ-વેના ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી જ સૌથી પહેલા રોપ-વેમાં સવાર થઈને અંબાજી મંદિરમાં માતાના દર્શન કરશે. આ દરમિયાન તે રાજ્યના વિકાસ, લોકોના આરોગ્ય, સુખ અને શાંતિની કામના કરશે.'

દિનકર યોજનાનુ પણ લોકાર્પણ થશે
રોપ-વે પ્રોજેક્ટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પર્યટન મંત્રી જવાહર ચાવડા, ઉર્જા મંત્રી સૌરભ પટેલ, પ્રભારી મંત્રી જયેશ રાદડિયા, યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન તેમજ મંત્રી વિભાવરી દવે સહિત અન્ય ગણમાન્ય લોકોના હાજર રહેવાની વાત પણ કહેવામાં આવી રહી છે. કાર્યક્રમ વિશે ડીઆઈજી મનિન્દર સિંહ પવારના નિર્દેશનમાં એસ પી રવિ તેજા વાસલ શેરટી તૈયારીમાં જોડાયા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે રોપ-વેની ઈ-લૉંચિંગ ઉપરાંત નરેન્દ્ર મોદી આ દિવસે દિનકર યોજનાનુ પણ લોકાર્પણ કરશે.

અંબાજી પહોંચવા માટે અત્યારે ચડવી પડે છે 9999 સીડીઓ
અંબાજીનુ દેવસ્થાન દેશના 51 શક્તિપીઠમાંનુ એક છે. ગિરનારની પહાડીથી અંબાજીના મંદિરનુ અંતર 900 મીટર છે. અત્યારે અંબાજીના દર્શન માટે શ્રદ્ધાળુઓને પહાડીનો ઉંચો-નીચો ઘુમાવદાર રસ્તો કાપવો પડે છે. જેમાં પણ લગભગ 10 હજાર સીડીઓ છે. રોપ-વે બનવાથી આ ઘણુ સુવિધાજનક થઈ જશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
