ગુજરાતની ચૂંટણી આવે ત્યારે એક પાર્ટીને તાવ વધારે આવે છે : PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાટ ખાતે ભાજપના ગુજરાત ગૌરવ મહાસંમેલન કાર્યક્રમમાં હાજર રહી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારશે. આ કાર્યક્રમમાં 7 લાખ જેટલા લોકો હાજર રહેશે. જાણો આ કાર્યક્રમમાં મોદીની સ્પીચ અહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની હાજરમાં આજે ભાટ ખાતે ગુજરાત ગૌરવ મહાસંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 7 લાખથી વધુ લોકો હાજર રહેશે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારશે. ત્યારે આ કાર્યક્રમમાં સૌ પ્રથમ ભૂતપૂર્વ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અને ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે સભાને સંબોધન કરવાનું શરૂ કર્યું હતું. જે બાદ અમદાવાદ એરપોર્ટથી ભાટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. અહીં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પીએમ મોદી કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. ત્યારે તેમના આ કાર્યક્રમની તમામ વિગતો અને પળે પળની માહિતી વાંચો નીચે...

પીએમ મોદીનું ભાષણ
પીએમ નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં તેમના ભાષણમાં કહ્યું હતું કે એક તરફ વંશવાદ વાળી પાર્ટી છે અને બીજી તરફ આર્દશ વાળી સંકલ્પબદ્ધ ભારતીય જનતા પાર્ટી છે. લોકતંત્રમાં ચૂંટણી એક યજ્ઞ હોય છે. તેમાં મતદાતાથી લઇને કાર્યકર્તાઓ આ યજ્ઞના માધ્યમથી વધુ સારું કરવાનો સંકલ્પ કરે છે. સતયુગથી આપણે સાંભળીએ છીએ જ્યારે જ્યારે યજ્ઞ થાય છે ત્યારે તેને રોકવા માટે વિધ્ન માટે કોઇને કોઇ આવે છે. જે લોકોને આ યજ્ઞનું ફળ નથી મળવાનું તેમના માટે આ યજ્ઞને અપવિત્ર કરવા સિવાય કોઇ કામ નથી. પણ આપણે આ ચૂંટણી યજ્ઞને આગળ વધારીશું. દંભ, બાહુબળ અને વંશવાદથી ચાલતી પાર્ટીઓ આપણે જોઇ છે. અમિત શાહે ભારતના દરેક ભાગમાં કેસરિયો લહેરાવ્યો છે.
રાહુલને કોંગ્રેસ પર નિશાન
રાહુલ ગાંધી પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે જે પાર્ટીના અનેક નેતા, વડાપ્રધાન આપ્યા છે તે પાર્ટીની ભાષા આટલી નીચે કેવી રીતે પડી શકે. તે પાર્ટીના ખોટી રીતે અને નકારાત્મક રીતે ચૂંટણી જીતવાની તેમના વિચારને કદી સફળ નહીં થવા દઇએ. જ્યારે ગુજરાતની ચૂંટણી આવે છે ત્યારે એક પાર્ટીને તાવ થોડો વધારો આવે છે. સરદાર પટેલ જોડે આ પાર્ટીએ શું કર્યું? મણીબેન પટેલ સાથે કોંગ્રેસ શું કર્યું તે વાતનો ઇતિહાસ બધા જાણે છે. મોરાજી દેસાઇ કામને કદી ઉગરવા નથી દીધી. મોરાજીભાઇને પાડવામાં તેમને કોઇ તક છોડી નથી. ગુજરાત પ્રતિ કોંગ્રેસને હંમેશા દ્રેષ રહ્યો છે. માધવ સિંહ સોલંકી જે તેમની જ પાર્ટીના હતા તેમને પણ ગાંધી પરિવારને બચાવવા માટે બલિ પર ચઢાવવામાં આવ્યા છે. તેમને કોઇ પણ પાર્ટીનો ગુજરાતી કેમ ના હોય કોંગ્રેસને કદી સહન નથી થયા. ગુજરાતીઓ પ્રતિ દ્રેષના કારણે નર્મદા યોજનાને તેમણે પરિપૂર્ણ નથી કરવા દીધી. સરદાર પટેલની યોજનાને પણ તેમણે પરિપૂર્ણ નહતી થવા દીધી.
GST પર કોંગ્રેસને તંજ
પીએમ મોદીએ આ પ્રસંગે કહ્યું કે કોંગ્રેસ શું વિકાસના મુદ્દા પર ચૂંટણી લડવાની હિંમત ધરાવે છે? કોંગ્રેસ હંમેશા કોમી તોફાનો, જાતિવાદી જહેર, લોકોને ભ્રમિત કરીને ચૂંટણી લડી છે. વિકાસના મુદ્દે કદી કોંગ્રેસ કદી લડી નથી. જે ગુજરાત તેમને પસંદ નહતી, સરદાર પટેલ જેમને પસંદ નહતા. ભારતીય જનતા પાર્ટીથી કાંપવું કોંગ્રેસ માટે સ્વાભાવિક છે. કોંગ્રેસ દર વખતે અમને નવી ગાળ આપવાનું કામ કર્યું છે. જ્યારે કંઇ ના ચાલ્યું ત્યારે વિકાસને ગાળ આપવાનું શરૂ કરી દીધું કોંગ્રેસે. વધુમાં જીએસટી મામલે બોલતા તેમણે કહ્યું કે જીએસટીનો નિર્ણય તમામ પાર્ટીને પુછાઇને લેવાયો હતો. કોંગ્રેસ જીએસટી નામે જુઠ્ઠાણા ચલાવવાનું બંધ કરે છે. જીએસટીના નિર્ણયમાં તમે પણ ભાગીદાર છો.
અમિત શાહનું ભાષણ
કોંગ્રેસ પાર્ટી વિકાસ વિરોધી છે. તે ગુજરાતના વિકાસના પાયાને હરાવાનું વિચારે પણ તેમને ખબર નથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અંગત લોકમત છે. અને આપણે 150થી વધુ સીટો મેળવીશું તે વાત નક્કી છે. કોંગ્રેસના રાજ્યમાં 16 ટકા વ્યાજ ખેડૂતો ચૂકવતા હતા. જેની મોદી સરકારે આવીને 1 ટકો કર્યો અને તેને એકથી શૂન્ય કરવાનું કામ વિજય રૂપાણી સરકારે કર્યું તેવું અમિત શાહે આ પ્રસંગે જણાવ્યું.

ખેડૂતોની લોન પર અમિત શાહ
આ કોંગ્રેસિયા આપણાથી હિસાબ માંગે છે. હું પૂછવા માંગું છું કે કોંગ્રેસની સત્તામાં કોઇ તેવું રાજ્ય છે જ્યાં ખેડૂતોને 0% વ્યાજ પર લોન મળતી હોય. પંજાબમાં ભાજપ-અકાળી દળની સરકાર કરીને ગઇ છે. કોંગ્રેસ જોડે એક પણ તેવું રાજ્ય નથી અને તે આપણી જોડે હિસાબ માંગે છે.

સૌ પ્રથમ આનંદીબેન પટેલે તેમના સંબોધનમાં હાજર કાર્યકર્તાઓને આહ્વાહન કર્યું કે અમિત શાહ અને પીએમ મોદી જ્યારે આવે ત્યારે તેમને વચન આપે કે તે ગુજરાતમાં 150થી પણ વધુ સીટો લાવીને તેમની બતાવશે. સાથે જ તેમણે કહ્યું કે ચૂંટણી લક્ષી કોઇ પણ કામમાં તેમની કોઇ પણ પ્રકારની મદદની જરૂર હોય તો તે હાજર છે. વધુમાં તેમણે ગાંધીજીને યાદ કરતા કહ્યું કે જે રીતે ગાંધીજીએ આઝાદી વખતે કહ્યું હતું કે "કૂતરાની મોતે મરીશ પણ આઝાદી લઇને જ પરત ફરીશ" તેમ આ વખતે પણ આપણે નિર્ધાર કરીએ તો ઇચ્છાશક્તિની આપણે 150 સીટોનો આ આપણો લક્ષ મેળવી શકીએ છે. આ પછી પ્રદેશ અધ્યક્ષ જીતી વાધાણીએ કાર્યકર્તાઓને સંબોધ્યા હતા.
અહીં 7 લાખ કાર્યકર્તાઓ ઉમટ્યા છે ત્યારે કોંગ્રેસમાં હિંમત હોય તો 2 લાખ કાર્યકર્તાઓ ભેગા કરી બતાવે #GujaratGaurav pic.twitter.com/GOlRMeiwv2
— BJP Gujarat (@BJP4Gujarat) October 16, 2017
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
