PM મોદી બનાસ ડેરી સંકુલનુ લોકાર્પણ અને જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનુ ખાતમુહુર્ત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસીય પ્રવાસે ગુજરાત આવી પહોંચ્યા છે. જાણો આજનો કાર્યક્રમ.
અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસીય પ્રવાસે ગુજરાત આવી પહોંચ્યા છે. તેઓ સોમવારે સાંજે અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા જ્યાં મુખ્યમંત્રી, રાજ્યપાલ અને ભાજપના કાર્યકરો દ્વારા તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ પીએમ મોદી ગાંધીનગર પહોંચ્યા હતા અને વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં પણ પીએમ મોદીનુ સ્વાગત કરવામાં આવ્યુ. નાની બાળકીઓ દ્વારા પીએમ મોદીનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. પીએમ મોદીએ પણ બાળકીઓનુ સ્વાગત કર્યુ હતુ ત્યારબાદ પીએમ મોદીએ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં દીપ પ્રાગટ્ય કર્યુ અને સમીક્ષા કરી.

બનાસ ડેરીના નવા સંકુલનુ લોકાર્પણ કરશે
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે 9.40 વાગે બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરીના નવા સંકુલનુ લોકાર્પણ કરશે. બપોર બાદ તેઓ જામનગર જશે અને ત્યાં WHOના સહકારથી બનનારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનુ ખાતમુહુર્ત કરશે. આ કાર્યક્રમમાં તેમની સાથે WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દન જુગનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. રાતે ગાંધીનગર રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.

600 કરોડથી વધુના ખર્ચે બન્યુ છે નવુ ડેરી સંકુલ
પ્રધાનમંત્રી મોદી આજે બનાસકાંઠાના દિયોદર ખાતે 600 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલ નવુ ડેરી સંકુલ અને બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ 19 એપ્રિલે સવારે 9.40 કલાકે રાષ્ટ્રને સમર્પિત કરશે. નવુ ડેરી સંકુલ ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ છે. આ પ્લાન્ટ લગભગ 80 ટન માખણ, એક લાખ લિટર આઈસ્ક્રીમ, 20 ટન કન્ડેસ્ડ મિલ્ક(ખોયા) અને 6 ટન ચોકલેટનુ ઉત્પાદન કરીને દરરોજ લગભગ 30 લાખ લિટર દૂધની પ્રક્રિયા કરવામાં સક્ષમ હશે.

બલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનુ શિલાન્યાસ
જામનગરની મુલાકાત દરમિયાન WHO દ્વારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનુ શિલાન્યાસ પ્રધાનમંત્રીના હસ્તે થશે. આ કાર્યક્રમમાં તેમની સાથે મોરેશિયસના પ્રધાનમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને WHOના ડીજી, રાજ્યકક્ષાના મંત્રીઓ તેમજ આઠથી દસ દેશોના એમ્બેસેડર તેમજ સ્થાનિક આગેવાનો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે.
-
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી








Click it and Unblock the Notifications
