પીએમ મોદી આજે ગુજરાતમાં ત્રણ પરિયોજનાઓનુ ઉદઘાટન કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે શનિવાર(24 ઓક્ટોબર) ગુજરાતમાં ત્રણ પરિયોજનાઓનુ ઉદઘાટન કરશે.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે શનિવાર(24 ઓક્ટોબર) ગુજરાતમાં ત્રણ પરિયોજનાઓનુ ઉદઘાટન કરશે. આ ઉદઘાટન કાર્યક્રમ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ પીએમ મોદી ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજનાની આજે શરૂઆત કરશે. આ ઉપરાંત અન્ય બે યોજનાઓની શરૂઆત પીએમ મોદી કરશે. જૂનાગઢ જિલ્લામાં ગિરનાર રોપવે અને અમદાવાદ સ્થિત યુએન મહેતા હ્રદયરોગ સંસ્થા અને શોધ કેન્દ્ર સાથે જોડાયેલા બાળકોના હ્રદયરોગ સંબંધિત હોસ્પિટલનુ ઉદઘાટન. પીએમ મોદી આ પ્રસંગે અમદાવાદની હોસ્પિટલમાં ટેલી-કાર્ડિયોલૉજી માટે મોબાઈલ એપ્લીકેશન સર્વિસને પણ લૉન્ચ કરશે.

કિસાન સૂર્યોદય યોજના
કિસાન સૂર્યોદય યોજના સિંચાઈ માટે દિવસના સમયે વિજળીની આપૂર્તિ સુનિશ્ચિત કરવાના હેતુથી લાવવામાં આવી રહી છે. કિસાન સૂર્યોદય યોજના હેઠળ ગુજરાત સરકાર ખેડૂતોને સવારે 5 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી વિજળીની સપ્લાઈની જોગવાઈ કરશે. યોજનાના પહેલા તબક્કામાં ગુજરાતના પંચમહાલ, છોટા ઉદેપુર, ખેડા, આણંદ, દાહોદ, પાટણ, ગિર-સોમનાથ અને મહિસાગર જિલ્લાને જ શામેલ કરવામાં આવશે. બાદમાં બાકી અન્ય જિલ્લાઓને પણ આ યોજના હેઠળ આવનારા બે-ત્રણ વર્ષોમાં શામેલ કરી લેવામાં આવશે.

ગિરનાર રોપવે
જૂનાગઢ જિલ્લા પાસે પવર્ત પર હાલમાં જ ગિરનાર રોપવે બનીને તૈયાર કરવામાં આવ્યો છે. પહાડ પર અંબામાંનુ મંદિર સ્થિત છે. લગભગ 2.13 કિલોમીટરનુ અંતર કાપીને લોકો રોપવેથી મંદિર સુધીની સફર માત્ર 8 મિનિટમાં પૂરુ કરી શકે છે.

30 અને 31 ઓક્ટોબરે પીએમ મોદી કરશે ગુજરાત પ્રવાસ
પીએમ નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે હશે. આ દરમિયાન 30 ઓક્ટોબરે પીએમ મોદી અમદાવાદમાં સાબરમતી નદી પર સી પ્લેનનુ ઉદઘાટન કરશે. વળી, 31 ઓક્ટોબરે સરદાર પટેલની જયંતિના પ્રસંગે સરદાર સરોવર બાંધ કેવડિયા કૉલોની પહોંચશે. પીએમ મોદી આ દિવસે સ્ટેચ્યુ ઑફ યુનિટી પણ જશે. 31 ઓક્ટોબરે સરદાર પટેલની જયંતિ છે જેને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
