ભાનુભાઇનો મૃતદેહને ન સ્વીકારી પરિવારે કર્યો વિરોધ, ઉંઝા-પાટણનો રોડ બંધ કરાયો
પાટણમાં ભાનુભાઇના મોતના પગલે ઠેર ઠેર વિરોધ. ઉંઝા-મહેસાણાનો રસ્તો બંધ કરવામાં આવ્યો. પરિવારે પણ તેમનો મૃતદેહ ના સ્વીકારી કર્યો વિરોધ. વધુ જાણો આ સમાચાર અંગે અહીં.
પાટણમાં જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે પોતાને આગ ચાંપીને આત્મવિલોપન કરનાર ભાનુભાઇ વણકરનું શુક્રવારે મોડી રાતે નિધન થયું છે. જેના પગલે ગુજરાતમાં ઠેર ઠેર આ વાતનો રોષ જોવા મળી રહ્યો છે. પોસ્ટમોર્ટમ પછી આત્મવિલોપન કરનાર ભાનુભાઇ વણકરના મૃતદેહને તેમના પરિવારજનોએ સ્વીકારવાની ના પાડી છે. સાથે જ આ અંગે ન્યાયની માંગણી કરી છે. વધુમાં તેમની મોતના વિરોધના પગલે મહેસાણા, ઉંઝા-પાટણના રોડ બંધ કરવામાં આવ્યા છે. ઉંઝા-વિસનગર, ઉંઝા-મહેસાણા રૂટ પર દોડતી એસ.ટી.બસની સેવા પણ બંધ કરવામાં આવી છે. વધુમાં ઉંઝાનો રોડ બંધ કરતા આ રોડ પર ટ્રાફિકની લાંબી લાઇનો લાગી છે. અને વિરોધ પેટે લોકો દ્વારા એસ.ટી બસોને થંભાવવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં તેમની મોત પછી ઓઢવ વિસ્તારમાં લોકોએ ટાયર બાળીને આ વાતનો વિરોધ કર્યો હતો. તો બીજી તરફ પાટણમાં પણ દલિત સમાજ દ્વારા રેલી નીકાળીને આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ પાટણની દુકાનો પણ બંધ કરવામાં આવી હતી. સાથે જ હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી પણ ભાનુભાઇ વણકરના નિધન પછી પહોંચ્યા ગાંધીનગર સિવિલ હોસ્પીટલ પહોંચ્યા હતા. અને તેમણે પરિવારજનોની સાથે મુલાકાત કરીને ન્યાય આપવવાની વાત કરી હતી. ઉંઝામાં પણ ભાનુભાઇ વણકરના નિધન બાદ મહિલાઓએ રસ્તા પર છાજિયા લઇને વિરોધ વ્યક્ત કર્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
