પાકની નાપાક હરકત, ભારતીય માછીમારની ગોળી મારી કરી હત્યા
ભારતે પાકિસ્તાનની મેરીટાઇમ સિક્યોરિટી એજન્સી અથવા PMSA દ્વારા બિન ઉશ્કેરણીજનક ગોળીબારમાં ભારતીય માછીમારની હત્યાની સખત નિંદા કરી છે.
ભારતે પાકિસ્તાનની મેરીટાઇમ સિક્યોરિટી એજન્સી અથવા PMSA દ્વારા બિન ઉશ્કેરણીજનક ગોળીબારમાં ભારતીય માછીમારની હત્યાની સખત નિંદા કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતીય માછીમારી બોટ પરના વ્યક્તિએ શનિવારના રોજ બોટ પર ગોળીબાર કર્યા બાદ પાકિસ્તાની દળોએ ઠાર માર્યો હતો, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રએ ઓળખ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, "અમે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. અમે આ મુદ્દાને પાકિસ્તાની પક્ષ સાથે રાજદ્વારી રીતે ઉઠાવવા જઈ રહ્યા છીએ. આ મામલો તપાસ હેઠળ છે અને વધુ વિગતો સમયસર મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવશે." આ ઘટનામાં અન્ય એક માછીમાર ઘાયલ થયો હતો. હાલ ઓખાની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક સુનીલ જોશીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના એક માછીમાર, જે ફિશિંગ બોટ 'જલપરી' પર હતા, PMSA કર્મચારીઓએ શનિવારની સાંજે તેમના અને અન્ય ક્રૂ સભ્યો પર ગોળીબાર કર્યો હતો, જેમાં તેમનું મૃત્યુ થયું હતું.
આ ઉપરાંત જોશીએ જણાવ્યું હતું કે, બોટમાં સાત માણસો હતા. માર્યા ગયેલા માછીમાર 32 વર્ષીય શ્રીધર રમેશ ચામરેનો મૃતદેહ રવિવારના રોજ ઓખા બંદરેલાવવામાં આવ્યો હતો અને નવી બંદર પોલીસમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ અથવા એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી, જે અરબી સમુદ્રમાં 12 નોટિકલ માઇલથી
આગળ બનેલી કોઈપણ ઘટના અંગે સમગ્ર ગુજરાતમાં અધિકારક્ષેત્ર ધરાવે છે.
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વડરાઈ ગામના રહેવાસીઓ, જ્યાં પાકિસ્તાન દ્વારા માર્યા ગયેલા માછીમાર રહેતા હતા, તેઓ કહે છે કે તેઓ આ ઘટના વિશે સાંભળીને
દુઃખી છે. માછીમારી બોટના માલિક જયંતિભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, રમેશ ચામરે બોટની કેબિનમાં હતા ત્યારે તેમને ગોળીઓ વાગી હતી.
રાઠોડે પત્રકારોને જણાવ્યું હતું કે, "ત્રણ ગોળીઓ તેને છાતી પર વાગી હતી, જેના પગલે તે મૃત્યુ પામ્યો હતો. પાકિસ્તાની સૈનિકો દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારમાં બોટનો કેપ્ટન પણ ઘાયલ થયો હતો". વર્ષોથી પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારી બોટ પર ગોળીબાર અને ભારતીય માછીમારોની અટકાયતની ઘટનાઓ સમયાંતરે નોંધાઈ છે.
ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં પાકિસ્તાને સ્વીકાર્યું હતું કે, 270 માછીમારો અને 49 નાગરિક કેદીઓ, જેઓ ભારતીય છે અથવા ભારતીય હોવાનું માનવામાં આવે છે, તેમની જેલમાં છે. આ જ સમયગાળા દરમિયાન 77 પાકિસ્તાની માછીમારો અને 263 પાકિસ્તાની નાગરિક કેદીઓ ભારતની કસ્ટડીમાં હતા, એમ સરકારે રાજ્યસભામાં જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2012માં ઇટાલિયન ધ્વજવાળા ઓઇલ ટેન્કરમાં સવાર બે ઇટાલિયન મરીન્સે ભારતના વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (EEZ) માં કેરળના દરિયાકાંઠે માછીમારીની બોટ પર રહેલા બે ભારતીય માછીમારોને ગોળી મારી દીધી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
