રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન નીતા અંબાણીએ લીધી બનાસકાંઠાની મુલાકાત
રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન નીતા અંબાણી આજે બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ગ્રામજનો સાથે મુલાકાત લઇને તેની તેમના ફાઉન્ડેશન દ્વારા પૂરતી સહાય આપવાની ખાતરી આપી હતી.
રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન નીતા અંબાણીએ બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે અહીં ગામડાના લોકો જોડે મળીને પૂરમાં થયેલા નુક્શાન પર રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા બનતી સહાય આપવાનું આશ્વાસન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં પૂર બાદ ભારે તરાજી થઇ હતી. અને નીતા અંબાણી હંમેશાથી તેમના ચેરટી કાર્યો માટે જાણીતા છે. ત્યારે આજે તેમની આ મુલાકાતે ગામડાના લોકોની અનેક મુશ્કેલીઓ ઓછી કરી દીધી હતી.

રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન નીતા અંબાણીએ આજે પાટણ અને બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. અને સાથે જ તેમણે પૂરગ્રસ્તોને જીવન જરૂરિયાત વસ્તુઓ અને સાધન સામગ્રીનું પણ વિતરણ કર્યું હતું. સાથે જ તેમણે પૂરગ્રસ્ત ચાર ગામોને દત્તક લેવાની જાહેરાત પણ કરી હતી. જેથી આ ચાર ગામોમાં રાહત અને પુનર્વસનની કામગીરી શરૂ કરી શકાય. વધુમાં રિલાયન્સના કર્મચારીઓ દ્વારા પૂરગ્રસ્ત બનાસકાંઠામાં 9 હજારથી વધુ ફૂટ પેકેટ, 500 જેટલા ઘાબળા અને 5000 જેટલી રસોઇની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે કપડાં અને ઘાસચારાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
#RF Chairperson Smt Nita #Ambani reassures a citizen of #Gujarat, pledging to do her best to provide #relief and #rebuild lives in the state pic.twitter.com/h5SncbQj7L
— Reliance Foundation (@ril_foundation) August 9, 2017
સાથે જ રિલાયન્સ ફાઉન્ડેશને હેલ્પલાઇન શરૂ કરીને આંતરિયાળ ગામોને બનતી મદદ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આવું પહેલી વાર નથી બન્યું કે નીતા અંબાણી અને તેમના ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના ગામડાઓને મદદ પહોંચાડવામાં આવી હોય આ પહેલા પણ ભૂકંપ વખતે પણ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સહાય આપવામાં આવી હતી. સાથે દેશમાં અનેક જગ્યાએ આ ફાઉન્ડેશન દ્વારા અનેક ચેરીટી કાર્યો કરવામાં આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
