અમદાવાદઃ નિત્યાનંદ આશ્રમની બે મહિલા સંચાલકની ધરપકડ, છોકરીઓને બંધક બનાવ્યાનો આરોપ
અમદાવાદઃ નિત્યાનંદ આશ્રમની બે મહિલા સંચાલકની ધરપકડ, છોકરીઓને બંધક બનાવ્યાનો આરોપ
અમદાવાદઃ વિવાદાસ્પદ ગુરુ નિત્યાનંદના અમદાવાદ સ્થિત આશ્રમ અને હોસ્ટેલમાં બાળકો પાસેથી પ્રમોશનલ એક્ટિવિટીના નામે 1થી 7 કરોડ રૂપિયા સુધી લેવામાં આવતા હતા. આ રકમ બાળકોના માતા-પિતા એટલે કે અનુયાયિઓથી આવતા હતા. ઉપરાંત કેટલીય યુવતિઓને તેમના ઘરેથી દૂર પણ રાખવામાં આવતી હતી. તાજો વિવાદ પુષ્પક સિટીમાં બાળકોને છૂપાવી રાખવાને લઈને થયો. આ મામલે વિવેકાનંદ પોલીસે આશ્રમની બે સંચાલિકા પ્રાણ પ્રિયા અને પિયતત્વાની ધરપકડ કરી છે. ગત દિવસોમાં પોલીસની તપાસમાં ખુલાસો થયો હતો કે બેંગ્લોરમાં રહેતી એક યુવતીને નિત્યાનંદના કર્મિઓએ કેરેબિયન દેશ ત્રિનિનાદ પહોંચાડી દીધી. જ્યાંથી યુવતીએ સ્કાઈપના માધ્યમથી મેસેજ કર્યા. તે યુવતીના પરિજનોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી પોતાના બાળકોને ગાયબ કરવાનો આરોપ લગાવ્યો છે.

પોલીસે ધરપકડ કરી
યુવતીના પરિજનોની ફરિયાદ મળવા પર ગુજરાત પોલીસે નિત્યાનંદ અને તેની બે સેવિકાઓ પર મામલો નોંધ્યો. સાથે જ યુવતીની ઘરે લાવવાના પ્રયાસ શરૂ કર્યા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે અમદાવાદ સ્થિત આશ્રમથી યુવતિઓના ગામ થવાના મામલે બેંગ્લોરના દંપત્તિની ફરિયાદ પર આ મામલો નોંધાયો છે. દંપત્તિએ ફરિયાદ કરી હતી કે સ્વામી નિત્યાનંદ અને બે સેવિકા પ્રાણપ્રિયા અને પિયતત્વા પર યુવતીઓ સાથે મારપીટ, અપહરણ, બંધક બનાવવાના અને ચાઈલ્ડ લેબર એક્ટ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસને માહિતી મળી કે ગુમ થયેલ યુવતીઓમાંથી એક 21 વર્ષની યુવતી ત્રિનિદાદમાં છે.

કર્ણાટકના દંપત્તિના 4 સંતાનને બંધક બનાવ્યા?
અમદાવાદ રૂરલ પોલીસ એસપી આરવી અંસારીએ જણાવ્યું કે આશ્રમવાસીઓ વિરુદ્ધ બાળકોને બંધક બનાવવા અને તેમની સાથે દુર્વ્યવહાર કરવાને લઈ એફઆઈઆર નોંધવામાં આવી. કર્ણાટકના દંપત્તિએ 2 નવેમ્બરે ફરિયાદ કરી હતી કે, 'નિત્યાનંદ આશ્રમમાં અમારી શ્રદ્ધા હતી, માટે 6 મહિના પહેલા અમારી 3 દીકરી અને 1 દીકરાને બેંગ્લોરના આશ્રમમાં પ્રવેશ કરાવ્યો હતો. તેમને અમારી સ્વીકૃતિથી જ અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા.' જેના પર પોલીસે 2 સંતાનોને તેમની ચંગુલથી છોડાવી લીધા, પરંતુ 2 છોકરીઓ હજી પણ તેમના કબ્જામાં છે. જેમાંથી એક યુવતી આફ્રિકાના ત્રિનિદાદમાં હોવાની વાત કહેવામાં આવી રહી છે.

કરણી સૈનિકોએ આશ્રમની બહાર વિરોધ કર્યો હતો
યુવતીઓ ગુમ થવાને લઈ અમદાવાદમાં કરણી સેનાએ નિત્યાનંદના આશ્રમ બહાર વિરોધ-પ્રદર્શન કર્યું. ઉપરાંત ગુમ થયેલ યુવતીઓના પરિજનોએ પણ પોલીસને ફરિયાદ કરી. જે બાદ પોલીસે મામલાને ગંભીરતાથી લીધો. પીડિત દંપત્તિનો આરોપ છે કે તેમની દીકરીની હત્યા કરી દેવામાં આવી અથવા તો નિત્યાનંદ તેને વિદેશ ભગાડી ગયો. અથવા તેને બંધક બનાવી ક્યાંક રાખી રાખવામાં આવી રહી છે.

શું પોલીસે આશ્રમને ક્લીનચિટ આપી દીધી છે?
જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે અમદાવાદ સ્થિત નિત્યાનંદ આશ્રમ અને તેના તરફથી ગુરુકુળ મોડલ પર સંચાલિત આવાસીય વિદ્યાલયને લઈ જાહેર વિરોધ પ્રદર્શન વચ્ચે પોલીસે આશ્રમને ક્લીનચિટ આપી દીધી છે. જો કે પોલીસનું કહેવું છે કે નિત્યાનંદ અને તેની સેવીકાઓ વિરુદ્ધ વિવિધ ધારાઓ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
