1000 થી વધુ શ્રમિકોને મળશે છત, ‘શ્રમ નિકેતન' યોજના માટે થયા MoU
શ્રમિકોને કામના સ્થળની નજીકમાં જ રહેવા તેમજ જમવાની સુવિધાઓ મળી રહે તેવી ઉમદા લાગણી સાથે એક સુંદર યોજના જેનું નામ ‘શ્રમ નિકેતન' છે તેની શરૂઆત કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યની સંવેદનશીલ ભાજપ સરકાર દ્વારા સંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા શ્રમિકોને કામના સ્થળની નજીકમાં જ રહેવા તેમજ જમવાની સુવિધાઓ મળી રહે તેવી ઉમદા લાગણી સાથે એક સુંદર યોજના જેનું નામ 'શ્રમ નિકેતન' છે તેની શરૂઆત કરવામાં આવી છે.
આ યોજના હેઠળ શુક્રવારના રોજ ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને સાણંદ ઈન્ડસ્ટ્રીઅલ એસોસિયેશન વચ્ચે 1000 થી વધુ શ્રમિકો રહી શકે તેવી હોસ્ટેલ બનાવવા માટેના MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગ દર્શનમા ગુજરાત સરકારે રાજયની ઔદ્યોગિક વસાહતોમાં રોજગારી મેળવતા શ્રમયોગીઓ અને તેમના આશ્રિતો માટે એક અભિનવ પહેલ કરી છે. રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ સંચાલિત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમ નિકેતન યોજના અમલમાં મૂકવામાં આવી છે.
જે ઔદ્યોગિક વસાહતોમાં 15 હજારથી વધુ શ્રમિકો કાર્યરત હોય તેવી ઔદ્યોગિક વસાહતોમાં શ્રમયોગીઓને રહેવા માટે આવા શ્રમ નિકેતન ઉભા કરવામાં આવશે. દેશના ગ્રોથ એન્જિન એવા ગુજરાતમાં મોટાપાયે કાર્યરત ઉદ્યોગોમાં રોજગારી માટે આવતા અન્ય રાજ્યોના શ્રમયોગીઓ સહિતના શ્રમયોગીઓને આવી શ્રમ નીકેતન હોસ્ટેલ આવાસની સુવિધા પૂરી પાડશે.

યોજના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર આર્ટમેન્ટ હેઠળ આવે છે
સાણંદ ખાતે ઔદ્યોગિક મજૂરો માટે પ્રથમ શ્રમ નિકેતન છાત્રાલય બનાવવામાં આવશે. આ માટે શુક્રવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલની હાજરીમાં એક MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ હોસ્ટેલ રાજ્ય સરકારની શ્રમ નિકેતન યોજના હેઠળ બનાવવામાંઆવશે. આ યોજના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર આર્ટમેન્ટ હેઠળ આવે છે.

રૂપિયા 10 કરોડના ખર્ચે તૈયાર થશે
શ્રમ નિકેતન નામની આવી છાત્રાલયો ઔદ્યોગિક ટાઉનશીપમાં બનાવવામાં આવશે, જ્યાં 15,000 થી વધુ મજૂરો કાર્યરત છે.
આ MoUમુજબ સાત માળની ઇમારતમાં 4,138 ચોરસ મીટર વિસ્તારમાં શ્રમયોગી હોસ્ટેલ બનાવવામાં આવશે. તેમાં મલ્ટીપર્પઝ હોલ, ડાઇનિંગ હોલહશે. તે રૂપિયા 10 કરોડના ખર્ચે તૈયાર થશે.

હોસ્ટેલમાં 1,000 થી વધુ મજૂરોને સમાવવાની ક્ષમતા હશે
આ પ્રોજેક્ટ જાહેર - ખાનગી - ભાગીદારી મોડમાં 28 મહિનામાં પૂર્ણ થશે. હોસ્ટેલમાં 1,000 થી વધુ મજૂરોને સમાવવાની ક્ષમતા હશે. તેમાંચાર, આઠ, બાર અને ચોવીસ વ્યક્તિઓ માટે સિંગલ ઓક્યુપન્સી, ડબલ ઓક્યુપન્સી રૂમ હશે.
આ MoU પર શુક્રવારના રોજ સાણંદઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ અજીત શાહ અને ગુજરાત સરકારના વેલ્ફેર કમિશનર દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર, મલ્ટીપરપઝ હોલ, ડાઇનીંગ હોલ જેવી અદ્યતન સુવિધા ધરાવતી આ હોસ્ટેલ શ્રમનિકેતન અંદાજે 10 કરોડ રૂપિયાના ખર્ચે પીપીપી ધોરણે 28 મહિનામાં પૂર્ણ કરાશે. સાણંદ જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના સહયોગથી નિર્માણ થનારી આ હોસ્ટેલમાં અંદાજે 1000 ઉપરાંત શ્રમયોગીઓ રહિ શકે તેવી વ્યવસ્થા કરાશે. એટલું જ નહિ, સિંગલ ઓક્યુપન્સી, ડબલ ઓક્યુપન્સી તથા 4, 8, 12 અને 24 વ્યક્તિઓ રહિ શકે તેવા રૂમ બનાવાશે. આ પ્રસંગે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ ડૉ. અંજુ શર્મા, લેબર કમિશનર અનુપમ આનંદ ઉપસ્થિત રહ્યા હતા
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
