સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું લોકાર્પણ કરવા મોદીનું અમદાવાદમાં આગમન
સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું લોકાર્પણ કરવા મોદીનું અમદાવાદમાં આગમન
અમદાવાદઃ 31મી ઓક્ટોબરે સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું લોકાર્પણ કરી વિશ્વની સૌથી મોટી પ્રતિમા અર્પણ કરશે. આ પ્રતિમા નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની સ્થિત આવેલ છે. જેનું ઉદ્ઘાટન કરવા માટે પીએમ મોદી આજે ગુજરાતના મહેમાન બન્યા છે. બુધવારે વહેલી સવારે તેઓ નર્મદા જિલ્લામાં જવા માટે રવાના થશે.

અમદાવાદ એરપોર્ટ પર આગમન
આજે સાંજે સાડા નવ વાગ્યે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે. ગુજરાત રાજ્ય ગૃહ મંત્રી પ્રદિપ સિંહ જાડેજા, રાજ્યપાલ ઓ.પી. કોહલી, સીએમ વિય રૂપાણી સહિતના નેતાઓ દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી સીધા ગાંધીનગર જવા માટે રવાના થયા. જ્યાં રાજભવન ખાતે રાત્રી રોકાણ કરીને કાલે સવારે હેલિકોપ્ટર મારફતે તેઓ નર્મદા જવા માટે રવાના થશે.

પીએમનો કાલનો પ્રોગ્રામ
પીએમ મોદી કેવડિયામાં 31મીએ સવારે 9 વાગ્યે પહોંચી જશે, જ્યાં રેલી ઑફ ફ્લાવર્સ કાર્યક્રમમાં તેઓ જોડાશે. અડધો કલાક સુધી રેલી ઑફ ફ્લાવર્સ કાર્યક્રમ ચાલશે. જે બાદ પીએમ મોદી ટેન્ટસિટી પહોંચશે અને 10 વાગ્યાના અરસામાં તેઓ કાર્યક્રમ સ્થળે પહોંચી જશે. જે બાદ બપોરે વડોદરા જવા રવાના થશે અને વડોદરાથ 1 વાગ્યે દિલ્હીની ફ્લાઈટ પકડીને રવાના થશે.

કાલે કેવડિયા કોલોની જશે
પીએમ મોદીની ગુજરાત મુલાકાતને પગલે ગાંધીનગરના રસ્તાઓને દિવાળીની જેમ શણગારવામાં આવ્યા છે. બીજી બાજુ કેવડિયામાં પણ પીએમ મોદીની આગતા સ્વાગતા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જણાવી દઈએ કે કહેવાતા સરકારના આ કાર્યક્રમમાં કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યોને આમંત્રણ જ નથી મળ્યું, શંકરસિંહ વાઘેલાએ પણ આ કાર્યક્રમને માત્ર અન-પ્રોડક્ટિવ માર્કેટિંગ જ ગણાવ્યું હતું.

સ્થાનિકો કરી રહ્યા છે વિરોધ
કેવડિયાની આજુબાજુનાં 70 જેટલા ગામના 70000થી પણ વધુ ગ્રામજનોએ 31મીએ પારણા કરીને મોદી સરકારના આ પ્રોજેક્ટનો વિરોધ કરવાનું નક્કી કરી લીધું છે. ઉલ્લેખનીય છે કે આજુબાજુના ગામના લોકોને નર્મદાનું પાણી ન મળતું હોય અને પ્રોજેક્ટને કારણે તેમને ત્યાંથી દૂર ખસેડવામાં આવ્યા હોવાથી સ્થાનિકએ મોદી સરકારથી નારાજગી જતાવી. કાલે છોટૂ વસાવાની આગેવાનીમાં પણ આંદોલન છેડવામાં આવનાર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
