'શિક્ષણનું ખાનગીકરણ કરી મોદી સરકાર ગુજરાતના ભવિષ્યને લિલામ કરે છે'

સુરતના ગોડાદરા અને કતારગામ વિસ્તારમાં કેન્દ્ર સરકારના ઉર્જા મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયાએ ચૂંટણીની જાહેર સભા સંબોધી હતી. સભામાં યુવા મંત્રીએ ગુજરાતની ભાજપ સરકારને આડેહાથ લેતા જણાવ્યું કે, ગુજરાતના ખેડુતો વીજ જોડાણ માટે માગણી કરી રહ્યાં છે અને ન મળતા આત્મહત્યા કરી રહ્યાં છે. પરંતુ ગુજરાતમાં જે વીજળી પેદા થાય છે તે વીજળી ખેડુતોને આપવાના બદલે ગુજરાતની ભાજપની સરકાર નફા માટે અન્ય રાજ્યને વેચી રહી હોવાનું જાણતા મને દુઃખ થઈ રહ્યું છે.
દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં બાળમૃત્યુ દર તથા સગર્ભામાતાનો મૃત્યુદર વધુ છે. આ ઉપરાંત અનેક ક્ષેત્રે ગુજરાત પાછળ છે. ગુજરાતમાં શિક્ષણક્ષેત્રનું સંપુર્ણ ખાનગીકરણ કરી દેવામાં આવ્યું છે. આવું કરીને ગુજરાતની નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર ગુજરાતના ભવિષ્યને લિલામ કરી રહી છે.
નરેન્દ્ર મોદી ગુજરાતના વિકાસની વાત કરે છે પરંતુ ગુજરાતનો વિકાસ છેલ્લા ૧૦ વર્ષનો નહીં પરંતુ ૧૦૦ વર્ષથી થઈ રહ્યો છે. ગુજરાતની છબી વિશ્વમાં ગુજરાતીઓએ બનાવી છે. ગુજરાતની વિકાસગાથા ૧૦૦ વર્ષથી ચાલે છે. કેન્દ્ર સરકાર દ્વાર ગુજરાત સરકારને ૧.૪૦ લાખ કરોડની રકમ આપી છે. સુરતની વીજ સેવાના નવીનીકરણ માટે પણ કેન્દ્ર સરકારે ૧૭૫ કરોડ રૃપિયા આપ્યા છે. આ સુવિધા તો કેન્દ્ર સરકાર ઉભી કરે છે પરંતુ પાવર તો અહીની સરકારે આપવાનો હોય છે, પણ અહીની સરકાર તો તમારો પાવર વેચીને પોકેટમાં મુકી રહી છે.
ચૂંટણી આવે એટલે ભાજપના નેતાઓ ખેડુતોના દેવા માફ કરવાની વાત કરે છે. પરંતુ જો ખરેખર જો આમ કરવું હોય તો તેઓએ કોગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી પાસે શિખવું પડશે. ખેડુતોના ૭૨ હજાર કરોડના દેવાની માફી સોનિયા ગાંધીએ આપી હતી. એન.ડી.એ.ની સરકારમાં કેરોસીનના ભાવ ૩૫૦ ટકા જેટલો વધાર્યો હતો. પરંતુ ઈન્ટરનેશનલ માર્કેટમાં તેલના ભાવ વધવા છતાં ગરીબોનો ખ્યાલ રાખીને કોગ્રેસે કેરોસીનના ભાવામાં કોઈ વધારો કર્યો નથી.
સુરતનો વધુ વિકાસ કરવો હોય તો ટેક્ષટાઈલ અને ડાયમંડ ઉદ્યોગના વિકાસ સાથે તેમના કર્મચારીઓને સુવિધા આપવી પડશે. પરંતુ અહી તો ટાટા નૈનો અને બાકી ઉદ્યોગોને હજારો કરોડોના ટેક્સ રાઈટ ઓફ કરી દીધો છે. પરંતુ સુરતના કામદારોને મોતના રસ્તા પર ઉભા કરી દીધા છે. વધુમાં જણાવ્યું કે, ભાજપનો નારો ભય હો છે જ્યારે કોંગ્રેસનો નારો જય હો છે. ત્યારે તમારે તમારો નિર્ણય લેવાનો છે કે વ્યાપક દ્રષ્ટિકોણ સાથે જવા માગો છો કે સંકુચિતતાના માર્ગ પર જવું છે. કોંગ્રેસ વિકાસની પરિભાષા હોવાથી તમારે કોંગ્રેસના જ ઉમેદવારોને વિજય બનાવવા જોઈએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
