સૌરાષ્ટ્ર માટે 10000 કરોડની 'સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ યોજના' : મોદી

કિસાન વિકાસ યાત્રાના સંમેલનમાં કરેલી જાહેરાતના કારણે સૌરાષ્ટ્ર વિસ્તારના 10,000થી વધારે ખેડૂતોને સીધો લાભ પહોંચશે. યોજનાના કારણે સૌરાષ્ટ્રમાં પાણીની કુલ આવકમાં 51 ટકાનો વધારો થવાની સંભાવના છે. પાણી પુરવઠો મળવાને કારણે પાણીની સમસ્યામાં મોટી રાહત મળવાની સંભાવના છે.
નરેન્દ્ર મોદીએ જાહેરાત કરતા જણાવ્યું કે 'સૌરાષ્ટ્રના મહેનતુ ખેડૂતોને પાણીની સમસ્યા ઘણા સમયથી નડી રહી છે. આ માટે રૂપિયા 10,000 કરોડની સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઇ યોજનાની જાહેરાત કરું છે. યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના 115 બંધને નર્મદાના પાણીથી ભરવામાં આવશે.'
તેમણે જણાવ્યું કે લોકોમાં પાણી અંગેની જાગૃતિ લાવવા માટે માતા નર્મદા આરાધના પર્વ યોજવામાં આવશે. જેમાં ગામડાંમાં ડાયરા ગોઠવવામાં આવશે. આ કાર્યક્રમોમાં સિંચાઇ સંબંધિત માહિતી આપતી પુસ્તિકાઓ વહેંચવામાં આવશે સાથે આ બાબતની વિડિયો સીડી પણ દર્શાવવામાં આવશે.
હું આગામી 10 દિવસમાં તમામ 115 બંધોની નજીકમાં કાર્યક્રમો આપવા ઇચ્છું છું જેથી લોકોમાં માતા નર્મદા અંગે જાગૃતિ લાવી શકાય. સાથે હું લોકોને આગ્રહ કરું છું કે જ્યારે પણ ડેમાં પાણી સુકાય એ સાથે ડેમને ઊંડા કરવાની કામગીરી કરવામાં આવે. આમ કરવાથી પાણી સંગ્રહની ક્ષમતા વધશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
