‘શું કરુ હમણાથી મારા દિમાગમાં પાકિસ્તાન રહે છે': કોચ્ચિને કરાંચી બોલ્યા પીએમ મોદી
પીએમ મોદી ભૂલથી કેરળના કોચ્ચિને પાકિસ્તાનનું કરાંચી બોલી ગયા પરંતુ તરત જ તેમણે પોતાની ભૂલ સુધારી.
ગુજરાતના બે દિવસીય પ્રવાસના પહેલા દિવસે પીએમ મોદી જામનગર પહોંચ્યા હતા જ્યાં તેઓ એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી ભૂલથી કેરળના કોચ્ચિને પાકિસ્તાનનું કરાંચી બોલી ગયા પરંતુ તરત જ તેમણે પોતાની ભૂલ સુધારી અને કહ્યુ કે શું કરે હમણાંથી તેમના દિમાગમાં પાકિસ્તાન જ રહે છે. પીએમ મોદી એ વખતે આયુષ્માન ભારત યોજનાની ખૂબીઓની પ્રશંસા કરી રહ્યા હતા.

જ્યારે કોચ્ચિને કરાંચી બોલી ગયા પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યુ કે આયુષ્માન ભારત યોજનાથી જામનગરના લોકોને દેશમાં ક્યાંય પણ ઈલાજ કરાવવાની સુવિધા મળી. પછી ભલે તે કોલકત્તા હોય કે કરાંચી. પછી તરત જ તેમણે તેમાં સુધારો કરીને કહ્યુ કે તેમનો અર્થ કોચ્ચિ હતો નહિ કે કરાંચી. પીએમ મોદીએ કહ્યુ કે આજકાલ તેમના દિમાગમાં પડોશી દેશ (પાકિસ્તાન) નો જ ખ્યાલ આવે છે.

જામનગરમાં ઘણી યોજનાઓને પીએમ મોદીએ બતાવી લીલી ઝંડી
પીએમ મોદી ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલમાં 750 બેડવાળા એનેક્સી ભવનનું ઉદઘાટન કર્યા બાદ સભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યુ, પરંતુ તે (પાકિસ્તાનમાં હવાઈ હુમલા) પણ જરૂરી હતુ. શું એર સ્ટ્રાઈક કરવી જોઈતી હતી કે નહિ? આના પર ભીડે હામાં જવાબ આપ્યો. એર સ્ટ્રાઈકની વાત કરતા પીએમ મોદીએ કહ્યુ કે આતંકના આકા પણ સમજી ગયા છે કે અમે ઘરમાં ઘૂસીને મારીએ છીએ. આજે આખો દેશ સંમત છે કે આતંકવાદનો ખાતમો જરૂરી છે.

પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ
ઉલ્લેખનીય છે કે બે દિવસીય પ્રવાસ દરમિયાન અલગ અલગ શહેરોમાં પીએમ મોદી ઘણી યોજનાઓની શરૂઆત કરવાના છે. સોમવારે જામનગરમાં તેમણે એક હજાર કરોડ રૂપિયાની કિંમતથી બનનાર વિશ્વ ઉમિયાધામના મંદિર પરિસરની આધારશિલા સહિત તમામ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યુ. જામનગરથી બાંદ્રા વચ્ચે ચાલતી હમસફર એક્સપ્રેસને પણ ઝંડી બતાવી. આ દરમિયાન તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
