ગુજરાતઃ 4 મોટા શહેરોમાં રાતે નહિ યોજાય લગ્ન સમારંભ, સુપ્રીમ કોર્ટે આપ્યા આદેશ
ગુજરાતના 4 મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાતે લગ્ન સમારંભના આયોજનોની અનુમતિ નથી.
અમદાવાદઃ ગુજરાતના 4 મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાતે લગ્ન સમારંભના આયોજનોની અનુમતિ નથી. કોઈ કેસમાં લગ્ન થઈ શકે છે પરંતુ ભીડ ન હોવી જોઈએ. ના બેન્ડ-વાજા, ના જાનૈયા હોય એટલે કે જાન નહિ નીકળે. સમૂહ લગ્ન પર રોક લગાવી દેવામાં આવી છે. આવુ એટલા માટે કારણકે આ શહેરોમાં કોરોના સંક્રમણ પર કાબુ મેળવવા માટે રાત્રિ કર્ફ્યુ લાગેલો છે. કર્ફ્યુના કારણે પહેલા જ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી કે લગ્ન સમારંભના આયોજન અટકી શકે છે. સુપ્રીમ કોર્ટે એવા પણ આદેશ આપ્યા છે કે કડકાઈ વર્તવામાં આવે. આ આદેશ બાદ સીએમ રૂપાણીએ કોર કમિટીની બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ જણાવવામાં આવ્યુ કે રાતે યોજાતા લગ્ન થવા દેવામાં આવશે નહિ. સાથે જ કહેવામાં આવ્યુ કે કોરોના સંક્રમણની ગંભીરતાને જોતા આ વર્ષે વાઈબ્રન્ટ ગુજરાત નહિ થાય.

માહિતી મુજબ રાતના સમયે લગ્ન સમારંભ અને વાઈબ્રન્ટ ગુજરાત જેવા ભીડવાળા આયોજનો પર રોક રાત્રિકાલીન કર્ફ્યુવાલા 4 શહેરોમાં પ્રભાવી રહેશે. સરકારનો આદેશ મંગળવારે મધ્ય રાત્રિથી પ્રભાવી થઈ જશે. અહીં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા વચ્ચે પહેલેથી જ કર્ફ્યુ લગાવવામાં આવી રહ્યો છે. જો કે ત્યારે અનુમતિ લઈને આયોજન કરાવવાની જોગવાઈ હતી જેને હવે પાછી લઈ લેવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યની અન્ય જ્ગ્યાઓએ થતા લગ્ન સમારંભ જેવા કાર્યક્રમોના આયોજન સ્થળે ભીડ ક્ષમતા 100 લોકો સુધી રાખવાની અનુમતિ છે. વળી, કોઈના મોત કે અંતિમ સંસ્કારમાં 50થી વધુ લોકો શામેલ નહિ થઈ શકે. આ બે નિયમો આખા રાજ્યમાં લાગુ રહેશે.
Recommended Video

મંદિરો વિશે પણ સ્પષ્ટ છે કે ભીડ નિયંત્રિત કરીને રાખવામાં આવે. કોરોના સંક્રમણની ગંભીરતા જોતા ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર 30 નવેમ્બર સુધી બંધ રાખવાની ઘોષણા કરવામાં આવી છે. સાથે જ રાજ્યના અન્ય મોટા મંદિરોમાં એટલા લોકો નથી પહોંચી રહ્યા. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાથી બગડતી સ્થિતિ બાદ રાજ્ય સરકારે અમદાવાદમાં બે દિવસનો કર્ફ્યુ લગાવ્યો હતો. બાદમાં દિવસનો કર્ફ્યુ બંધ કરી દીધો અને રાત્રિ કર્ફ્યુ ચાલુ રાખ્યો છે. હવે ચાર મહાનગરોમાં અનિશ્ચિતકાળ માટે રાતને કર્ફ્યુ ચાલુ રાખ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
