Gujarat Election 2017: 9 અને 14 ડિસેમ્બરે ગુજરાતમાં થશે મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત અંગે વિગતવાર વાંચો અહીં. ચૂંટણી પંચે બે તબક્કામાં 9મી અને 14ની ડિસેમ્બરે ગુજરાતમાં મતદાન કરાવશે. અને 18 ડિસેમ્બરે મતગણતરી થશે.
ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. આ માટે ચૂંટણી પંચના કમિશ્નર અચલ કુમારે ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી થશે તેમ જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે આજથી ગુજરાતમાં આચાર સંહિતા લાગું થશે. ઉલ્લેખનીય ેછે કે લાંબા સમયથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો અંગે સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ થઇ રહી હતી. તે બાદ આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ અંગે ચૂંટણી પંચ જાહેરાત કરી હતી. ત્યારે ચૂંટણી પંચની મહત્વની જાહેરાતો અંગે વધુ જાણો નીચે...

- ક્યારે થશે ગુજરાતમાં છે મતદાન
9 ડિસેમ્બર- 89 બેઠકો માટે 19 જિલ્લામાં મતદાન
14 ડિસેમ્બર- 93 બેઠકો માટે 13 જિલ્લામાં મતદાન
18 ડિસેમ્બરે - મતદાનનું પરિણામ
102 પોલિંગ બૂથ પર મહિલા સ્ટાફ હશે.

- તારીખ 9 અને 14 ડિસેમ્બરે ગુજરાતમાં થશે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન
- ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન
- 18 ડિસેમ્બરે ગુજરાતમાં થશે મતગણતરી.
- 4 કરોડ 30 લાખ લોકો આ ચૂંટણીમાં મતદાન કરશે
- 50,128 પોલિંગ બુથ શરૂ કરવામાં આવશે.
- આ ચૂંટણીમાં VVPAT નો પણ ઉપયોગ થશે.
- 22 જાન્યુઆરી સુધી વિધાનસભાનો કાર્યકાળ ચાલશે.
- આજથી ગુજરાતમાં આચાર સંહિતા લાગુ થશે.
- 182 બેઠકો માટે 9 ડિસેમ્બરે પહેલા તબક્કાની ચૂંટણી થશે
- 9 ડિસેમ્બરે સૌથી પહેલા 89 બેઠકો પર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન થશે
- 14 ડિસેમ્બરે બીજા તબક્કામાં 93 બેઠકોમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મતદાન કરવામાં આવશે.
- મતદાનના સાત દિવસ પહેલા વોટિંગ સ્લીપ આપવામાં આવશે.
- 21 નવેમ્બર સુધી પહેલા તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાનું રહેશે.
- સંવેદનશીલ બુથ પર ચૂંટણીની ગતિવિધિઓ માટે વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે.
- એપ દ્વારા મતદારો ફરિયાદ નોંધાવી શકશે.
- ચૂંટણી રેલીનું પણ રેકોર્ડિંગ થશે.
- ઉમેદવારો આ ચૂંટણીમાં 28 લાખ સુધીનો ખર્ચ કરી શકશે.
- પહેલા તબક્કામાં 2.11 કરોડ મતદાર ભાગ લેશે. બીજા તબક્કા 2.21 કરોડ મતદાર મતદાનમાં ભાગ લેશે.

બીજી તરફ આજે ચૂંટણી પંચે ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર કરી રહ્યું છે ત્યારે તે અગાઉ જ રાજ્યના ક્લેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારીઓ માટે વિશેષ આદેશપત્ર બહાર પાડવામાં આવ્યા છે. અને તેમાં આચારસંહિતાનો અમલ કરવા માટે જણાવ્યું હતું. આ આદેશમાં જણાવાયું હતું કે આદર્શ આચાર સંહિતાનો અમલ થાય તે પ્રમાણે સરકારી જાહેરાત, બેનર્સ, પોસ્ટર્સ, હોર્ડિંગ તેમજ કટ આઉટ હટાવી લેવા પડશે. આ આદેશ 23 તારીખના રોજ બહાર પાડી દેવામાં આવ્યો હતો.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ






Click it and Unblock the Notifications
