કેજરીવાલ આવતીકાલે બાપુનગરમાં સભા સંબોધશે
ગાંધીનગર, 7 માર્ચ: ઓક્ટોબર 2012માં આમ આદમી પાર્ટીની એક રાજકીય પક્ષ તરીકે રચના થયા બાદ અરવિંદ કેજરીવાલની ગુજરાતમાં આ પ્રથમ જનસભા છે. જેને સફળ બનાવવા માટે સમગ્ર ગુજરાતના આપ કાર્યકરો રાત-દિવસ એક કરી રહ્યાં છે.
આ જનસભા શનિવાર 8 માર્ચના રોજ બપોરે 4 વાગે બાપુનગરના વિજયચોક ખાતે યોજાશે. ચુંટણી કમિશ્નર અને સ્થાનિક પ્રશાસનની મંજુરી મળશે તો આમ આદમી પાર્ટીના ગુજરાત એકમે પણ અરવિંદ કેજરીવાલના એક રોડ શો નો કાર્યક્રમ ઘડી નાખ્યો છે આ રોડ શો આમ આદમી પાર્ટીના આયોજન નગર પાલડી ખાતેના કાર્યાલયથી શરૂ થઇ અંજલી ચાર રસ્તા,પાલડી ચાર રસ્તા,જમાલપુર બ્રીજ,ગુલાબી ચાર રસ્તા,એલ.જી ચોકી, નાગરવેલહનુમાન, માલિકસબાન સ્ટેડીયમ રોડ જેવા સ્થળોએથી પસાર થઇ બપુનાગર ખાતેના સભા સ્થળે પહોંચશે.
અરવિંદ કેજરીવાલ તથા પાર્ટીના અન્ય નેતાઓને તેમના ચાર દિવસની ગુજરાત પ્રવાસ દરમિયાન મળેલા પ્રતિસાદે નરેન્દ્ર મોદીના ગુજરાતના વિકાસની પોલ ઉઘાડી કરી દિધી હોવાનો દાવો કર્યો છે. ગુજરાતનો વિકાસ માત્ર મઠી ભર ઉદ્યોગપતિઓનો જ છે આમ જનતા નો નહિ આમ આદમી પાર્ટી ધ્વારા તેનો પર્દાફાશ થતાં જ હતાશ થયેલા અને હચમચી ગયેલા ભાજપી નેતાઓએ અફવાઓ ફેલાવવાનું, ગેરમાર્ગે દોરવાનું અને ધાક-ધમકી આપવાનું શરુ કર્યું હોવાનો આરોપ આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવી રહ્યો છે.

આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે અતિથીદેવો ભાવોનું જોર શોરથી ગણું ગાતા ગુજરાતના મુખ્યમંત્રીને લોકોની સમસ્યા લઈને નીકળેલા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીને મળવાનો પણ સમય નથી.
આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓએ હવે એવી અફવા ફેલાવાનું શરુ કર્યું છે કે કેજરીવાલ ગુજરાત છોડી ગયા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે કેજરીવાલ પોતાના બે મહિના પેહલા નિર્ધારિત થયેલા કાર્યક્રમ મુજબ રાજસ્થાન પત્રિકાના એક કાર્યક્રમમાં ભાગ લેવા થોડા કલાકો માટે તેવો જયપુર ગયા છે. આજે રાત્રે તેવો દિલ્હી જઈને ઇન્ડિયા ટુડેના કાર્યક્રમ માં ભાગ લેશે અને વહેલી સવારે અમદાવાદ પરત ફરશે આખો દિવસ અમદાવાદમાં હશે અને નક્કી થયેલા સમયે જનસભા પણ સંબોધશે તથા આગામી ચૂંટણીમાં ભાજપને આનો સખત જવાબ મળશે એ નક્કી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
