અમદાવાદની ઘટનામાં રાજપૂતોનો હાથ નહીં: કરણી સેના
મંગળવારે રાત્રે અમદાવાદમાં થિયેટરની બહાર થયેલ તોફાન બાદ પદ્માવતનો વિવાદ વધુ વકર્યો છે. આ મામલે 450થી વધુ લોકો સામે તોડફોડ અને રમખાણનો કેસ નોંધવામાં આવ્યો છે, 44 લોકોની ધરપકડ થઇ છે
મંગળવારે રાત્રે અમદાવાદમાં થિયેટરની બહાર થયેલ તોફાન બાદ પદ્માવતનો વિવાદ વધુ વકર્યો છે. આ મામલે 450થી વધુ લોકો સામે તોડફોડ અને રમખાણનો કેસ નોંધવામાં આવ્યો છે, 44 લોકોની ધરપકડ થઇ છે અને વધુ 17 લોકોની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બધા વચ્ચે રાજપૂત કરણી સેનાના પ્રમુખ લોકેન્દ્ર સિંહ કાલવીએ કહ્યું છે કે, અમદાવાદમાં બનેલ ઘટનામાં રાજપૂતોનો હાથ નહોતો. બુધવારે બપોરે પત્રકાર પરિષદનું સંબોધન કરતાં તેમણે આ વાત કહી હતી. સાથે જ તેમણે કહ્યું કે, પદ્માવત ફિલ્મ રિલીઝ ન થવી જોઇએ. મને ખબર છે કે મારી ગમે ત્યારે ધરપકડ થઇ શકે છે અને આ ધરપકડ પહેલાની મારી છેલ્લી પત્રકાર પરિષદ પણ હોય.

તેમણે આગળ કહ્યું કે, આ સમગ્ર મામલે જો કોઇનો દોષ હોય તો તે સંજય લીલા ભણસાલી છે. હું ગુજરાતમાં જ્યાં પણ ગયો ત્યાં એક વિસ્તાર પણ એવો નથી જ્યાં રામલીલા વિરુદ્ધ કેસ ન નોંધાયો હોય. ફિલ્મ રિલીઝ થઇ તો દેશભરમાં જનતા કરફ્યૂ લાગશે. ગુજરાત અને રાજસ્થાનમાં જનતા કરફ્યૂ લાગ્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાત મળીને 148 લોકોની ધરપકડ થઇ છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે રાત્રે ફિલ્મ પદ્માવતના વિરોધમાં અમદાવાદના હિમાલયા મોલની બહાર તોડફોડ થઇ હતી અને વાહનોને આગ ચાંપવામાં આવી હતી. આ મામલે વસ્ત્રાપુર પોલીસ દ્વારા જે લોકોની ધરપકડ થઇ છે, એ માટે કોઈ ભીડ ભેગી ના થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
