જિજ્ઞેશ મેવાણી 'PM વિરુદ્ધ ટ્વિટ' મામલે ન્યાયિક કસ્ટડીમાં, જામીન અરજી પર આજે સુનાવણી
જામીન અરજી સહિત જિજ્ઞેશ મેવાણીના કેસમાં સુનાવણી સોમવારે થશે.
કોકરાઝારઃ ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની આસામ પોલિસ દ્વારા પ્રધાનમંત્રી વિરુદ્ધ ટ્વિટ કરવા બાબતે બુધવારે ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આસામના કોકરાઝારની એક અદાલતે અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને રવિવારે એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા. આ માહિતી પોલિસના એક અધિકારીએ આપી. અધિકારીના જણાવ્યા મુજબ જામીન અરજી સહિત મેવાણીના કેસમાં સુનાવણી સોમવારે થશે. કોકરાઝારના અધિક પોલિસ અધિક્ષક સુરજીત સિંહ પાનેસરે પત્રકારોને જણાવ્યુ કે મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતે મેવાણીને એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય કર્યો.

તમને જણાવી દઈએ કે જિજ્ઞેશ મેવાણીની ત્રણ દિવસની પોલિસ કસ્ટડી ખતમ થયા બાદ રવિવારે મોડી સાંજે અદાલતમાં હાજર કરવામાં આવ્યા. આ કેસમાં બે કલાકથી વધુ સમય સુધી રાતે સાડા નવ વાગ્યા સુધી ઉલટતપાસ ચાલી. કોકરાઝારના અધિક પોલિસ અધિક્ષક સુરજીત સિંહ પાનેસરના જણાવ્યા મુજબ સોમવારે સવારે એક વાર ફરીથી જિજ્ઞેશ મેવાણીને અદાલતમાં હાજર કરવામાં આવશે જ્યાં જામીન અરજી સહિત તેમના કેસમાં સુનાવણી થશે. ગળામાં અસમિયા ગમછો લપેટેલા મેવાણીને સીજેએમના આવાસથી કોકરાઝાર જેલમાં લઈ જવામાં આવ્યા. કેસની સુનાવણી સીજેએમના આવાસ પર થઈ. આ દરમિયાન કોંગ્રેસે અહીં મેવાણીના સમર્થનમાં ધરણા-પ્રદર્શન કર્યા.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે આસામ પોલિસ દ્વારા જિજ્ઞેશ મેવાણીની ધરપકડને 'અલોકતાંત્રિક' અને 'ગેરબંધારણીય' ગણાવી હતી. કોંગ્રેસ દ્વારા સમર્થિત અપક્ષ ધારાસભ્ય મેવાણીને પ્રધાનમંત્રી વિરુદ્ધ તેમના કથિત ટ્વિટને લઈને કોકરાઝાર પોલિસ સ્ટેશનમાં આઈપીસીની વિવિધ કલમો અને આઈટી અધિનિયમ હેઠળ એફઆઈઆર નોંધાયા બાદ બુધવારે રાતે પાલનપુરથી ધરપકડ કરવામાં આવી હતી. એફઆઈર મુજબ જિજ્ઞેશ મેવાણીએ કથિત રીતે એક ટ્વિટ કર્યુ હતુ જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 'ગોડસેને ભગવાન માને છે'. જિજ્ઞેશ મેવાણીને ગુરુવારે સવારે ગુજરાતથી ગુવાહાટી અને પછી રોડ માર્ગે કોકરાઝાર લઈ જવામાં આવ્યા જ્યાં તેમને મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતમાં હાજર કરવામાં આવ્યા. અદાલતે તેમને ત્રણ દિવસની પોલિસ કસ્ટડીમાં મોકલી દીધા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
