જીજ્ઞેશ મેવાણીનું અલ્ટીમેટમ, દલિતો વિફર્યા તો ભાજપના નેતાને નહીં....
એક મીડિયા ચેનલ સાથે વાત કરતા મેવાણીએ તેની ચિમકી ઉચ્ચારી હતી. વધુ વાંચો
દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ એટ્રોસિટિ એેક્ટ અને દલિત વિરોધ પ્રદર્શન મામલે મીડિયામાં ટિપ્પણી કરતા કહ્યું છે કે કોર્ટના આ નિર્ણયથી સમગ્ર દલિત સમાજ આહત થયો છે. અને આજ કારણ છે કે ઠેર ઠેર દલિતો અને આદિવાસી સમાજ આ અંગે વિરોધ પ્રદર્શન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે સાથે જ એક મીડિયા ચેનલ સાથે વાત કરતા મેવાણીએ તેની ચિમકી ઉચ્ચારી હતી કે જો ભાજપ સરકાર દ્વારા 14 એપ્રિલ પહેલા જો કોર્ટમાં આ મામલે યોગ્ય પિટિશન દાખલ કરવામાં નહીં આવે તો 14 એપ્રિલ પછી ભાજપના કોઇ પણ નેતાને ડૉ. આંબેડકર સાહેબની મૂર્તિને અમે અડવા નહીં દઇએ. જો વધુમાં જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે તે કોર્ટના આ નિર્ણયનો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરશે.

ઉલ્લેખનીય છે કે કોર્ટના આ નિર્ણય પછી જીજ્ઞેશ મેવાણીએ 2 એપ્રિલે ભારત બંધને સમર્થન આપી ગુજરાત બંધમાં તેમની સાથે જોડાવવાની જાહેરાત પણ કરી હતી. વધુમાં આજે સવારે જ તેમણે અમદાવાદ સારંગપુર ખાતે તેમના કાર્યકર્તાઓ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વડગામના ધારાસભ્ય તેવા જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે આ મામલે સમગ્ર દલિત સમાજ એકજૂથ છે. સાથે જ મધ્યપ્રદેશ અને બિહારમાં દલિત પ્રદર્શન વખતે થયેલા આંગ ચાંપી અને પથ્થરમારા જેવી ઘટનાઓનો જીજ્ઞેશ મેવાણીએ વિરોધ કર્યો હતો.
અને લોકોને શાંતિની વિરોધ પ્રદર્શન કરવા માટે અપીલ કરી હતી. જો કે તેમ છતાં ગુજરાતમાં પણ ભારતના અન્ય વિસ્તારોની જેમ દલિતોનું વિરોધ પ્રદર્શન તેજ બન્યું છે. ખાલી અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદમાં દાણીલીમડા, અમરાઇવાડી, કાકરિયા માર્ગ અને ઘી કાંટા રોડ પર ભારે વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. અમદાવાદમાં ઘી કાંટા પાસે કોર્ટના તમામ ગેટ બંધ કરવામાં આવ્યા હતા. તો અનુપમ કાકરિયા માર્ગ પર દુકાનો અને રસ્તા બંધ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આવનારા સમયમાં જો સરકાર દ્વારા કોર્ટના આ આદેશ પર કોઇ યોગ્ય પગલાં લેવામાં ના આવ્યા તો આ આંદોલન વધુ ઝલદ આવનારા દિવસોમાં થશે તેમ લાગી રહ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
