ભરૂચ જંબુસર-આમોદના કોંગ્રેસ ધારાસભ્ય ભરતસિંહ સોલંકી સાથે વિકાસ-રકાસ અંગે ખાસ વાતચીત
વન ઈન્ડિયાના સંવાદ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના જંબુસર - આમોદ મત વિસ્તારના ધારાસભ્ય સંજય સિંહ સોલંકી જોડાયા હતા.
ભરૂચઃ વન ઈન્ડિયાના સંવાદ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના જંબુસર - આમોદ મત વિસ્તારના કોંગ્રેસ ધારાસભ્ય સંજય સિંહ સોલંકી જોડાયા હતા. વન ઈન્ડિયા પત્રકાર દ્વારા પૂછવામાં આવેલ વિવિધ પ્રશ્નોના જવાબ આપી તેમણે પોતાના અઢી વર્ષ દરમિયાન ધારાસભ્યની મુદતમાં જે વિકાસના કાર્યો થયા છે તેમજ બાકીના કાર્યકાળ દરમિયાન જે કાર્યો કરવાના છે તે અંગે વન ઈન્ડિયાના પત્રકાર સાથે વાતચીત કરી. વાંચો અહીં તે સમગ્ર વાતચીત.

પ્રશ્નઃ અઢી વર્ષના શાસનકાળ દરમિયાન તમારા મત વિસ્તારમાં વિકાસના કયા કયા કામો થયા છે?
જવાબઃ વિશ્વ અને દેશ અત્યારે જ્યારે કોરોનાની સ્થિતિમાં હોય ત્યારે જંબુસર તાલુકાની અંદર પ્રથમ તો અમે જે લોકોને ખૂબ જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને વડોદરા કે ભરૂચ જવુ પડતુ હતુ તેના બદલે આમોદમાં જ મેડિકલ હોસ્પિટલ ખોલાવીને જંબુસર અને આમોદના લોકોને આ સેવાનો લાભ અપાવેલ છે. આનાથી ગરીબ લોકોના ખર્ચા ઘટ્યા છે. આ ઉપરાંત જંબુસર-આમોદ તાલુકામાં મુખ્ય પ્રશ્ન ખેડૂતોનો હોઈ પાક ઉત્પાદન થયા પછી જેમને ટેકાના ભાવ મળતા ન હોય, સરકારની અંદર અમે રજૂઆત કરીને એપીએમસી દ્વારા ખેડૂતોને ટેકાના ભાવ અપાવેલા છે. કપાસમાં પણ ખેડૂતોને લાભ મળેલો છે. આ વર્ષે જંબુસર-આમોદ તાલુકાને અતિવૃષ્ટિ અસરમાં સરકારને વિનંતી કરીને લીધેલો છે. અતિવૃષ્ટિ થવાથી 30થી 60 ટકા નુકશાન થયેલુ છે. 33 ટકા લાભો સરકારે મંજૂર કરેલા છે.
પ્રશ્નઃ તમે કોંગ્રેસમાંથી ચૂંટાયેલા હોઈ શાસક પક્ષ દ્વારા વિકાસના કાર્યોમાં કોઈ અવરોધો સર્જાયા છે ખરા?
જવાબઃ ગુજરાત સરકારની અંદર આ પરિસ્થિતિ ઉભી થવાની. 100 ટકા કામો ન થયા હોય પરંતુ જંબુસર-આમોદ તાલુકામાં અમે જેટલા પણ કામોની મંજૂરી માંગેલી છે તેમાંથી 90 ટકા કામો જેવા કે હોસ્પિટલ, રેફરલ હોસ્પિટલની મંજૂરી આપેલી છે, પીવાના પાણીના પ્રશ્નો મુદ્દે 64 ટકા રકમ મંજૂર કરી છે જેથી આવનારા દિવસોમાં લોકોને પાણી મુદ્દે રાહત રહેશે. અન્ય ગામોને જોડતા રસ્તાઓ પણ મંજૂર થયેલા છે. મીઠા પાણીનો પ્રશ્ન પણ હલ કરીને ટૂંક સમયમાં ચાલુ થશે. કેટલીક યોજનાઓ સરકારે ધ્યાને લઈને મંજૂર કરેલી છે.
પ્રશ્નઃ જંબુસરના અમુક વિસ્તારોમાં ગંદકી મુદ્દે તમારા તરફથી કોઈ રજૂઆત કરવામાં આવી છે?
જવાબઃ જંબુસરમાં કેટલાક વિસ્તારોમાં વર્ષો જૂની ગટર ઉભરાતી હોય ત્યારે સત્તાધારી નગરપાલિકાના ધ્યાન પર લાવવામાં આવ્યુ છે. પરંતુ આ મુદ્દે નગરપાલિકા સદંતર નિષ્ફળ છે એવુ મારુ માનવુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
