સનસની: મેઘરજમાં ચિઠ્ઠી બની રહી છે મોતનું કારણ?
અરવલ્લી પાસે આવેલા એક ગામમાં તાંત્રિકની ચિઠ્ઠીઓ લોકોને કરી રહી છે ભયભીત, જાણો શું છે સમગ્ર મામલો.
અરવલ્લી પાસે આવેલા મેઘરજમાં ચિઠ્ઠી બની રહી છે મોતનું કારણ. જેના ઘરે આ ચિઠ્ઠી આવે છે તે વ્યક્તિનું નામ રામ નામ સત્ય થઇ જાય. એટલું જ નહીં સૌથી ચોંકવનારી વાત તો એ છે કે એક તાંત્રિક આ ચિઠ્ઠીઓ નાખી રહ્યો છે. અને આ ભેદી તાંત્રિકના કહેર હવે આ ગામમાં સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. લોકોમાં તાંત્રિક અને તેની ચિઠ્ઠીનો ભય બેસી ગયો છે. ત્યારે શું છે તાંત્રિક અને આ ચિઠ્ઠીનું કારણ જાણો અહીં....

અરવલ્લીના મેઘરજના ગેડ ગામમાં એક તાંત્રિક અને તેના દ્વારા નાંખવામાં આવી રહેલી ચિઠ્ઠીઓ લોકોની ચિંતા વધારી રહ્યા છે. સમગ્ર ઘટના એવી છે કે ગેડ ગામના પંડ્યા ફળીમાં 25 જેટલા પરિવારો રહે છે. તેમાં દિનેશભાઇ ખેમાભાઇ પંડ્યાના મકાનના પાછળના ભાગે અઠવાડિયા પહેલા કોઇ અજાણ્યા તાંત્રિક દ્વારા 3 લીંબુ, 3 સૂકા મરચાં અને 3 કોલસાને સફેદ કપડામાં કંકુ સાથે મૂક્યા હતા અને તેમાં ધમકીવાળી ચિઠ્ઠી પણ હતી.

ચિઠ્ઠીનો રાજ?
આ ચિઠ્ઠીમાં લખ્યુ હતું કે "હંસા, તારો દીકરો ત્રણ દિવસ પછી જોવા નહીં મળે!" આ પ્રકારનું લખાણ જોઇ ફફડી ઉઠેલા આ પરિવારે તેનો એકનો એક દીકરો બચાવવા આસપાસમાં તેજમ ગામમાં બધાને જાણ કરી હતી.

ઝેરી પીવડાવીને મોત!
આ ઘટનાના થોડા દિવસ બાદ ગામના જ કુમુદબહેન પંડ્યાના પુત્રની વહુ ઘરમાં એકલી હતી. ત્યારે ઘરના પાછળના બારણેથી આવેલા વ્યક્તિએ આ મહિલાને પાછળથી પકડી મોઢામાં નાખી ખવડાવી હતી. તેમાં કોઇ ઝેરી પદાર્થ હોવાથી તે યુવતી બેભાન થઇ ગઇ હતી. અને તેના ઘરમાંથી પણ ચિઠ્ઠી મળી આવી હતી જેમાં લખ્યું હતું કે સામેના ઘરેમાં જે તાંર્કિક વિદ્યા કરી છે અને તેને પણ મેંજ ઝેરી દવા પીવડાવી છે.

ચિઠ્ઠીનો ભય
આ પ્રકારની ઘટના બનતા ગામમાં લોકો ભયભીત થઈ ગયા છે અને વારંવાર બની રહેલા આવા ભેદી બનાવોથી પીછો છોડાવવા અને આરોપીને પકડવા તેમણે પોલીસને જાણ કરી છે.

ચિઠ્ઠી અને તાંત્રિકનો સંબંધ?
પોલીસે આ ચિટ્ઠીઓનું અવલોકન કરી જણાવ્યુ હતું કે જે પ્રકારે લખાણ લખ્યું છે તે જોતા વ્યક્તિ વધારે ભણેલી નથી લાગતી વળી તેને છાપાના તથા નોટબુકના નાના ટુકડાનો ઉપયોગ કરી ચિઠ્ઠીઓ બનાવી છે. પોલીસ આ ચિઠ્ઠીઓના આધારે આ કહેવાતા તાંત્રિકની તપાસ કરી રહી છે. ત્યારે હાલ તો આ ગામના લોકો તે જ ચિંતા કરી રહ્યા છે કે હવે ભૂલથી પણ કોઇ ચિઠ્ઠી તેમના ઘરમાં ન આવે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
