ગુજરાતમાં પીજી ગ્લાસ કંપની પર 40 લોકોના ટોળાએ હુમલો કર્યો, 2 ગાર્ડની મૌત

ગુજરાતમાં ભરૂચ જિલ્લાના ઉતિયાદરા ગામે 40 લોકોનાં જૂથે પીજી ગ્લાસ નામની બંધ કંપનીમાં ધસી આવ્યા હતા.

ગુજરાતમાં ભરૂચ જિલ્લાના ઉતિયાદરા ગામે 40 લોકોનાં જૂથે પીજી ગ્લાસ નામની બંધ કંપનીમાં ધસી આવ્યા હતા. તેમનું કંપનીમાં હાજર સુરક્ષા કર્મીઓ સાથે ઘર્ષણ થયું. ટોળાના હુમલામાં બે સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા, જ્યારે ત્રણ અન્ય ગંભીર રીતે ઘવાયા હતા. બાતમી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ પહોંચ્યા પછી સ્થિતિ કાબૂમાં આવી. કંપનીની આસપાસ રહેતા લોકોએ જાણ કરી હતી કે ટોળાએ લૂંટના ઇરાદે હુમલો કર્યો હતો. જોકે, પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

PG Glass Company

પત્રકારના જણાવ્યા અનુસાર, ઉતિયાદરા ગામમાં જ્યારે પીજી ગ્લાસ નામની કંપની પર હુમલો થયો હતો, ત્યારે તેમાં 6 સિક્યુરિટી ગાર્ડ હાજર હતા. ટોળાના હુમલામાં બે ગાર્ડ સ્થળ પર જ માર્યા ગયા હતા. કંપનીમાં મોટા પાયે તોડફોડ પણ થઇ હતી. ઘાયલ થયેલા અન્ય ચાર સુરક્ષાકર્મીઓને સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

PG Glass Company

આ ઘટનામાં ઘાયલ થયેલા ત્રણ ગાર્ડની હાલત નાજુક છે. જોકે, સ્થળને ભરૂચ પોલીસે કબજે કર્યું છે. આ મામલે પોલીસ જ સંપૂર્ણ માહિતી આપી શકશે. આસપાસના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: પીએમ મોદીની યાત્રા દરમિયાન ફરજ પર તૈનાત પોલિસકર્મીએ ગોળી મારી કરી આત્મહત્યા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X